: અષાઢ : ૨૪૯૯ આત્મધર્મ : ૨૫ :
તેનો મહિમા, અને તેની આરાધનાનો ઉપદેશ
અહો, જગતમાં જીવને પરમ સુખનું કારણ સમ્યગ્જ્ઞાન
છે, સમ્યગ્જ્ઞાન સમાન સુખનું કારણ બીજું કોઈ નથી; પુણ્ય કે
પાપના ભાવ સુખનું કારણ નથી, બહારનો કોઈ વૈભવ સુખનું
કારણ નથી; અંતરમાં ચૈતન્યનું જ્ઞાનપરિણમન જ જીવને
સર્વત્ર સુખનું કારણ છે. જન્મ – જરા – મરણના રોગને
નીવારવા માટે આ સમ્યગ્જ્ઞાન પરમ અમૃત છે. સમ્યગ્જ્ઞાનરૂપી
અમૃત વડે જન્મ – મરણનો નાશ કરીને જીવ અમરપદને પામે
છે. માટે આવા સમ્યગ્જ્ઞાનની તમે આરાધના કરો.
સમ્યગ્દ્રર્શનસહિતનું જે સમ્યજ્ઞાન છે તેના બે ભેદ છે – એક પરોક્ષ અને બીજું
પ્રત્યક્ષ.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બન્ને ઈંદ્રિયો તથા મન દ્વારા ઉપજે છે તેથી તે
પરોક્ષ છે.
અવધિજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાન એ બન્ને એકદેશ – પ્રત્યક્ષ છે, તેના વડે જીવ
મર્યાદિત દ્રવ્ય–ક્ષેત્ર – કાળ – ભાવને, ઈન્દ્રિય – મનના અવલંબન વિના પ્રત્યક્ષ –સ્પષ્ટ
જાણે છે.
કેવળજ્ઞાન સંપૂર્ણ પ્રત્યક્ષ છે; કેવળીભગવંત સમસ્ત દ્રવ્યના અનંતગુણોને તેમજ
અનંતપર્યાયોને એક સાથે પ્રત્યક્ષ જાણે છે. જાણવામાં એને કોઈ દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–
ભાવની મર્યાદા નથી. અહો, આ કેવળજ્ઞાનનો અદ્ભુત – અચિંત્ય મહિમા છે. એની
ઓળખાણ કરતાં પણ જીવને જ્ઞાનસ્વભાવની પ્રતીત સહિત, અતીન્દ્રિય સુખના વેદનથી
ભરેલું સમ્યગ્જ્ઞાન પ્રગટે છે, પ્રવચનસારમાં આચાર્યદેવે તેનો ઘણો મહિમા