
પોતાના પરમાત્મતત્ત્વને જોડે છે, અદ્વૈતપણે તેનો અનુભવ કરે છે. –આ સિવાય
બીજી રીતે યોગભક્તિ હોતી નથી. આવા અદ્વૈત આનંદમય શુદ્ધોપયોગરૂપ જે
ભક્તિયોગ તે જ યોગીઓને મોક્ષ દેનાર છે.
આત્મામાં કેમ જોડશે? અરે, મારા આત્મા સિવાય બહારમાં મારા માટે કાંઈ છે
જ ક્યાં? આનંદનો ભંડાર તો અંદર આત્મામાં ભર્યો છે, –એમ અચિંત્ય મહિમા
વડે આત્મામાં ઉપયોગની એકાગ્રતા કરવી તે યોગભક્તિ છે.
બહારમાં જે જ્ઞાન ભમે તેમાં આત્માનું શું હિત છે? એ તો બધા રાગના પ્રપંચ
છે. ચૈતન્યને ભૂલીને બહારના જાણપણામાં જે સંતોષાઈ ગયો તેને તો પરમાં
સુખબુદ્ધિ છે, તે પોતાના ઉપયોગને આત્મસ્વરૂપમાં જોડતો નથી તેથી તેને
‘શુદ્ધમાં ઉપયોગરૂપ ભક્તિ’ ક્યાંથી હોય?
વરસાદ વરસાવ્યા છે ને મુમુક્ષુના આત્મામાં આનંદના સુકાળ કરી દીધા છે.
આત્મામાં આનંદનાં વાજા વાગે–એવી આ ભક્તિ છે. ધર્મીજીવ આત્મામાં
આનંદનાં વાજાં વગાડતો–વગાડતો મોક્ષમાં ચાલ્યો જાય છે.
આનંદની દેનાર છે.
કોની સાથે? કે પરમ સમરસભાવરૂપ આત્મા, જેમાં કોઈ વિકલ્પ નથી, તેમાં
આત્મઉપયોગને જોડવો તે અપૂર્વ યોગભક્તિ છે.