Atmadharma magazine - Ank 359
(Year 30 - Vir Nirvana Samvat 2499, A.D. 1973).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 49

background image
: ભાદ્રપદ ર૪૯૯ : આત્મધર્મ : ૨૧ :
ઉપશાંતરસ ઝરે છે. આસન્નભવ્યજીવ આવી યોગભક્તિવડે પરમ–આનંદ સાથે
પોતાના પરમાત્મતત્ત્વને જોડે છે, અદ્વૈતપણે તેનો અનુભવ કરે છે. –આ સિવાય
બીજી રીતે યોગભક્તિ હોતી નથી. આવા અદ્વૈત આનંદમય શુદ્ધોપયોગરૂપ જે
ભક્તિયોગ તે જ યોગીઓને મોક્ષ દેનાર છે.
(૩૮)
અહો, આત્માનો અદ્ભુત મહિમા! એના સિવાય જગતમાં બીજે ક્યાંય કોઈ
વસ્તુનો મહિમા આવે તો તે પોતાના ઉપયોગને તેમાંથી પાછો વાળીને
આત્મામાં કેમ જોડશે? અરે, મારા આત્મા સિવાય બહારમાં મારા માટે કાંઈ છે
જ ક્યાં? આનંદનો ભંડાર તો અંદર આત્મામાં ભર્યો છે, –એમ અચિંત્ય મહિમા
વડે આત્મામાં ઉપયોગની એકાગ્રતા કરવી તે યોગભક્તિ છે.
(૩૯)
અરે, આત્માના આનંદસ્વરૂપમાં જે જ્ઞાન ન જોડાય, અને આત્માને ભૂલીને
બહારમાં જે જ્ઞાન ભમે તેમાં આત્માનું શું હિત છે? એ તો બધા રાગના પ્રપંચ
છે. ચૈતન્યને ભૂલીને બહારના જાણપણામાં જે સંતોષાઈ ગયો તેને તો પરમાં
સુખબુદ્ધિ છે, તે પોતાના ઉપયોગને આત્મસ્વરૂપમાં જોડતો નથી તેથી તેને
‘શુદ્ધમાં ઉપયોગરૂપ ભક્તિ’ ક્યાંથી હોય?
(૪૦)
અહો! શુદ્ધ ઉપયોગરૂપ યોગભક્તિ મહા આનંદમય છે; આવી ભક્તિમાં
આત્માને ડોલાવીને આચાર્ય ભગવાને આ પંચમકાળમાં વીતરાગી અમૃતના
વરસાદ વરસાવ્યા છે ને મુમુક્ષુના આત્મામાં આનંદના સુકાળ કરી દીધા છે.
આત્મામાં આનંદનાં વાજા વાગે–એવી આ ભક્તિ છે. ધર્મીજીવ આત્મામાં
આનંદનાં વાજાં વગાડતો–વગાડતો મોક્ષમાં ચાલ્યો જાય છે.
(૪૧)
અહો, આ આત્મયોગ તે સાચો યોગ છે, તેમાં પોતાના આત્મબંધુ સાથે
ચૈતન્યપરિણતિ એકાકાર થઈને તેને ભજે છે. આવી યોગભક્તિ તે મુક્તિના
આનંદની દેનાર છે.
(૪૨)
મુક્તિના કારણરૂપ અનુપમ યોગભક્તિનું આ વર્ણન છે. યોગ એટલે જોડાણ;
કોની સાથે? કે પરમ સમરસભાવરૂપ આત્મા, જેમાં કોઈ વિકલ્પ નથી, તેમાં
આત્મઉપયોગને જોડવો તે અપૂર્વ યોગભક્તિ છે.
(૪૩)
આત્મામાં એકાગ્ર થઈને શાંતભાવરૂપે આત્મા પરિણમ્યો, તે શાંતિ સાથે જોડા–