
આચાર્યદેવ કહે છે કે દેહના આશ્રયે મોક્ષમાર્ગ નથી, આત્માના આશ્રયે
એમ અમે જાણીએ છીએ, ને અમે પણ આવો જ મોક્ષમાર્ગ સેવીએ છીએ.
મોક્ષ પામ્યા? તે અમે અમારા સ્વસંવેદનજ્ઞાનથી જોઈએ છીએ. સ્વદ્રવ્યાશ્રિત જે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે તે જ મોક્ષમાર્ગપણે જોવામાં આવે છે. અમે તે માર્ગ જોયો
છે અને તે માર્ગની સેવના અમે કરીએ છીએ.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સેવ્યા તે અમે અમારા સ્વસંવેદનભાવથી બરાબર જાણીએ
છીએ. પૂર્વે કુંદકુંદાચાર્યદેવ વગેરે મહાન સંતો થયા તેઓ વીતરાગ મોક્ષમાર્ગને સેવનારા
હતા–એમ તેમનો નિર્ણય અત્યારે પણ તેમની વાણી ઉપરથી ધર્માત્મા કરી લ્યે છે.
લીધું છે. કોઈ પણ ભગવંતો શરીરની કે રાગની સેવના કરીને મોક્ષ નથી પામ્યા પણ
અંદરમાં જ્ઞાનનું સેવન કરીને સર્વે ભગવંતો મોક્ષ પામ્યા છે. ધર્મી પ્રમોદથી કહે છે કે
અહો! પ્રભો! આપનો મુક્તિમાર્ગ અમે જાણ્યો છે, ને અમે પણ એવા જ મોક્ષમાર્ગને
સેવીએ છીએ....આપના પગલે–પગલે મોક્ષમાં આવી રહ્યા છીએ.–આમ ધર્મી જીવ
નિઃશંક મોક્ષમાર્ગને જાણે છે.