ધર્મનો કે પુણ્ય–પાપનો વિવેક રહેતો નથી, ગુણ–અવગુણને તે જાણતો નથી; લોભવશ
તે ક્્યારેક ગુણીજનનો પણ અનાદર, ને દુર્ગણી જીવોનો આદર કરે છે, દેશ–પરદેશ ભમે
છે, માયા–કપટ કરે છે. લોભીપુરુષની આશા આખા સંસારમાં એવી ફેલાઈ જાય છે કે
જગતનું બધું ધન મળે તોપણ તેનો લોભ શાંત થાય નહીં.
એવા ધનની મમતાને ધિક્કાર હો. હે જીવ! તું ધનનો લોભ કરવા કરતાં ધર્મ
પ્રભાવના–અર્થે તેનું દાન કર....એ જ ઉત્તમ માર્ગ છે. દાન વગરનું ગૃહસ્થપણું તો
પરિગ્રહના ભારથી દુઃખ જ દેનારું છે. લોભ તો પાપને વધારનાર હોવાથી નિંદ્ય છે, ને
દાનાદિક શુભકાર્ય શ્રાવકને માટે પ્રશંસનીય છે. માટે હે શ્રાવકોત્તમ! તું સમ્યક્ત્વ
ઉપરાંત વ્રતોને પણ ધારણ કર. સર્વસંગત્યાગી મુનિપણું ન થઈ શકે ત્યાં સુધી
દેશત્યાગરૂપ વ્રત તો જરૂર ધારણ કર.
સદ્ગુણી સ્ત્રી હતી. સ્ત્રી–સંબંધી પરિગ્રહ–પરિમાણમાં તેને એકમાત્ર સુલોચના સિવાય
અન્ય બધી સ્ત્રીઓનો ત્યાગ હતો.
તેણે વિદ્યાધરીનું ઉત્તમ રૂપ ધારણ કરીને જયકુમારને ખૂબ લલચાવ્યો, અને હાવભાવ–
વિલાસ કર્યા, ને પોતાની સાથે ક્રીડા કરવા જયકુમારને કહ્યું.
આ તને શોભતું નથી. મારે એકપત્નીવ્રત છે એટલે સુલોચના–સ્ત્રી સિવાય અન્ય બધી
સ્ત્રીઓનો મારે ત્યાગ છે. હે દેવી! તું પણ વિષયવાસનાના ભૂંડા પરિણામને છોડ....ને
શીલવંતી થઈને, પરપુરુષ સાથે રમણની અભિલાષા છોડ.–આમ કહીને જયકુમાર તો
હૃદયમાં તીર્થંકર ભગવંતોને યાદ કરીને ધ્યાનમાં ઉભા રહ્યા. દેવે અનેક ઉપાયો કરવા