Atmadharma magazine - Ank 371
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 45

background image
: દ્વિ ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૨૯ :
થઈને જૂઠું બોલે છે, ચોરી કરે છે, આર્ત્તધ્યાન કરે છે. તીવ્રલોભી મનુષ્યને દેવ–ગુરુ–
ધર્મનો કે પુણ્ય–પાપનો વિવેક રહેતો નથી, ગુણ–અવગુણને તે જાણતો નથી; લોભવશ
તે ક્્યારેક ગુણીજનનો પણ અનાદર, ને દુર્ગણી જીવોનો આદર કરે છે, દેશ–પરદેશ ભમે
છે, માયા–કપટ કરે છે. લોભીપુરુષની આશા આખા સંસારમાં એવી ફેલાઈ જાય છે કે
જગતનું બધું ધન મળે તોપણ તેનો લોભ શાંત થાય નહીં.
અરે, ધનની પ્રાપ્તિ અનેક દુઃખથી થાય છે, પ્રાપ્ત થયેલ ધનની રક્ષા પણ દુઃખથી
થાય છે, ને તે ધન ચાલ્યું જતાં પણ દુઃખ થાય છે, આ રીતે સદાય દુઃખનું જ કારણ–
એવા ધનની મમતાને ધિક્કાર હો. હે જીવ! તું ધનનો લોભ કરવા કરતાં ધર્મ
પ્રભાવના–અર્થે તેનું દાન કર....એ જ ઉત્તમ માર્ગ છે. દાન વગરનું ગૃહસ્થપણું તો
પરિગ્રહના ભારથી દુઃખ જ દેનારું છે. લોભ તો પાપને વધારનાર હોવાથી નિંદ્ય છે, ને
દાનાદિક શુભકાર્ય શ્રાવકને માટે પ્રશંસનીય છે. માટે હે શ્રાવકોત્તમ! તું સમ્યક્ત્વ
ઉપરાંત વ્રતોને પણ ધારણ કર. સર્વસંગત્યાગી મુનિપણું ન થઈ શકે ત્યાં સુધી
દેશત્યાગરૂપ વ્રત તો જરૂર ધારણ કર.
શીલવ્રતના પાલનના ઉદાહરણમાં આપણે જેમનું નામ વાંચ્યું તે શ્રી જયકુમાર
આ પરિગ્રહ–પરિમાણવ્રતના પાલનમાં પણ પ્રસિદ્ધ છે. તે જયકુમારને સુલોચના નામની
સદ્ગુણી સ્ત્રી હતી. સ્ત્રી–સંબંધી પરિગ્રહ–પરિમાણમાં તેને એકમાત્ર સુલોચના સિવાય
અન્ય બધી સ્ત્રીઓનો ત્યાગ હતો.
એક વખત તે કૈલાસયાત્રાએ ગયા હતા; તે વખતે ઈન્દ્રસભામાં સૌધર્મઈન્દ્રે
તેમના સંતોષવ્રતની પ્રશંસા કરી; તે સાંભળીને એક દેવ તેમની પરીક્ષા કરવા આવ્યો.
તેણે વિદ્યાધરીનું ઉત્તમ રૂપ ધારણ કરીને જયકુમારને ખૂબ લલચાવ્યો, અને હાવભાવ–
વિલાસ કર્યા, ને પોતાની સાથે ક્રીડા કરવા જયકુમારને કહ્યું.
–પણ જયકુમાર જેનું નામ!–એ વિષયોથી પરાજિત કેમ થાય? એ જરાપણ
લલચાયા નહિ; પરંતુ વિરક્ત ભાવે ઉલ્ટું તે વિદ્યાધરીને શિખામણ આપી કે અરે માતા!
આ તને શોભતું નથી. મારે એકપત્નીવ્રત છે એટલે સુલોચના–સ્ત્રી સિવાય અન્ય બધી
સ્ત્રીઓનો મારે ત્યાગ છે. હે દેવી! તું પણ વિષયવાસનાના ભૂંડા પરિણામને છોડ....ને
શીલવંતી થઈને, પરપુરુષ સાથે રમણની અભિલાષા છોડ.–આમ કહીને જયકુમાર તો
હૃદયમાં તીર્થંકર ભગવંતોને યાદ કરીને ધ્યાનમાં ઉભા રહ્યા. દેવે અનેક ઉપાયો કરવા