જ્ઞાન ને સુખરૂપે સ્વયમેવ થાય છે; તેથી આત્મા પોતે સ્વભાવથી જ જ્ઞાન ને સુખ છે,
તેમાં બીજા કોઈ બાહ્યવિષયો કાંઈ જ કરતા નથી, અકિંચિત્કર છે.
ચેતના શક્તિવાળો આત્મા પોતે પોતાના સ્વભાવમાં જ રહીને નિરાલંબીપણે મહાન
દિવ્યચેતનારૂપે પરિણમતો હોવાથી આત્મા પોતે દેવ છે.
નીરાલંબી મારો જ્ઞાન ને સુખ સ્વભાવ છે–એમ લક્ષમાં લેતાં જ જીવનો ઉપયોગ
અતીન્દ્રિય થઈને તેની પર્યાય જ્ઞાન ને સુખરૂપે ખીલી જાય છે...કોઈ અપૂર્વ, સંસારમાં
શાંતિ આવી, મારો આત્મા જ આવી શાંતિસ્વરૂપ છે, એમ આનંદનો અગાધસમુદ્ર તેને
પ્રતીતમાં–જ્ઞાનમાં–અનુભૂતિમાં આવી જાય છે; પોતાનું પરમ ઈષ્ટ એવું સુખ તેને પ્રાપ્ત
થાય છે, ને અનિષ્ટ એવું દુઃખ દૂર થાય છે.
જ્યોતિષનામકર્મને લીધે સ્વભાવથી જ તે આકાશમાં નીરાલંબી, ઉષ્ણતા ને પ્રકાશવાળો
દેવ છે. તેમ સુખ ને જ્ઞાન જેનો સ્વભાવ છે એવી દિવ્ય શક્તિવાળા આત્માને,
અતીન્દ્રિય જ્ઞાન–આનંદરૂપ પરિણમવા માટે રાગ–પુણ્ય કે ઈન્દ્રિયવિષયોની પરાધીનતા
નથી, તે બધાયની અપેક્ષા વગર સ્વભાવથી પોતે જ જ્ઞાન–સુખ ને દેવ છે. –સુખ ને
જ્ઞાન–આનંદમય સહજ સ્વભાવ તે જ ઈષ્ટ વહાલામાં વહાલો છે, બીજું કાંઈ તેને ઈષ્ટ નથી.
*
સુખ છે.