જિનમાર્ગી સન્તો આવી અપૂર્વ શાંતિને પામ્યા છે, ને એવી
પામવા માટે આત્માને ઓળખો. આત્માની ઓળખાણ કરાવનારું
સુગમ શાસ્ત્ર ‘સમાધિશતક’ તેનાં પ્રવચનોનું દોહન આપ વાંચી
રહ્યા છો.
જે જીવ બાહ્યદ્રષ્ટિવાળો અવિદ્ધાન છે, ચેતન અને જડની ભિન્નતાનું જેને ભાન
આત્માને તિર્યંચ માને છે, દેવશરીરમાં રહેલા આત્માને દેવ માને છે, તથા નારકશરીરમાં
રહેલા આત્માને નારક માને છે; પરંતુ આત્મા તો તે દેહથી જુદો અનંતાનંત જ્ઞાનાદિ
શક્તિસંપન્ન, સ્વસંવેદ્ય અચલ સ્થિતિવાળો છે, તેને તે જાણતો નથી. શરીર તો ટૂંકી
મુદતવાળું જડ છે, ને આત્મા તો સળંગ સ્થિતિવાળો ચૈતન્યશક્તિસંપન્ન છે,–એમ બંનેની
ભિન્નતાને અજ્ઞાની ઓળખતો નથી. એ પ્રમાણે ચિદાનંદશક્તિસંપ
અવિદ્વાન જ છે, ચૈતન્યવિદ્યાની તેને ખબર નથી. જ્ઞાની તો પોતાને દેહથી ભિન્ન, એક
ચૈતન્યભાવરૂપે જ સદા અનુભવે છે.
આત્મા રહ્યો ત્યાં, આત્મા જ જાણે કે દેવશરીરરૂપે થઈ ગયો–એમ તે અજ્ઞાની માને છે;
અને એ જ પ્રમાણે મનુષ્ય કે નારકશરીરમાં રહેલા આત્માને, મનુષ્ય કે નારકીરૂપ માને