Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 37

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૯ :
અપૂર્વ શાંતિ પામવા
(લેખાંક ત્રીજો)
દુનિયામાં ક્્યાંય શાંતિ–ખરેખરી શાંતિ હોય તો તે
આત્મામાં જ છે, ને આત્માને જાણવાથી જ તેનું વેદન થાય છે.
જિનમાર્ગી સન્તો આવી અપૂર્વ શાંતિને પામ્યા છે, ને એવી
શાંતિના પિપાસુ ભવ્યજીવોને કહે છે કે તમે પણ અપૂર્વ શાંતિ
પામવા માટે આત્માને ઓળખો. આત્માની ઓળખાણ કરાવનારું
સુગમ શાસ્ત્ર ‘સમાધિશતક’ તેનાં પ્રવચનોનું દોહન આપ વાંચી
રહ્યા છો.
(– સં)

જે જીવ બાહ્યદ્રષ્ટિવાળો અવિદ્ધાન છે, ચેતન અને જડની ભિન્નતાનું જેને ભાન
નથી, તે નરદેહમાં રહેલા આત્મને નર માને છે; એ જ પ્રમાણે તિર્યંચ શરીરમાં રહેલા
આત્માને તિર્યંચ માને છે, દેવશરીરમાં રહેલા આત્માને દેવ માને છે, તથા નારકશરીરમાં
રહેલા આત્માને નારક માને છે; પરંતુ આત્મા તો તે દેહથી જુદો અનંતાનંત જ્ઞાનાદિ
શક્તિસંપન્ન, સ્વસંવેદ્ય અચલ સ્થિતિવાળો છે, તેને તે જાણતો નથી. શરીર તો ટૂંકી
મુદતવાળું જડ છે, ને આત્મા તો સળંગ સ્થિતિવાળો ચૈતન્યશક્તિસંપન્ન છે,–એમ બંનેની
ભિન્નતાને અજ્ઞાની ઓળખતો નથી. એ પ્રમાણે ચિદાનંદશક્તિસંપ
ન્ન આત્માને જે
ઓળખતો નથી તે ભલે શાસ્ત્રો ભણેલો મોટો વિદ્ધાન ગણાતો હોય તો પણ ખરેખર તે
અવિદ્વાન જ છે, ચૈતન્યવિદ્યાની તેને ખબર નથી. જ્ઞાની તો પોતાને દેહથી ભિન્ન, એક
ચૈતન્યભાવરૂપે જ સદા અનુભવે છે.
દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ જીવને જે ઓળખતો નથી તે, હાથીનું શરીર જુએ
ત્યાં ‘આ જીવ હાથી છે’ એમ આત્માને જ હાથી વગેરે તિર્યંચરૂપે માને છે; દેવ શરીરમાં
આત્મા રહ્યો ત્યાં, આત્મા જ જાણે કે દેવશરીરરૂપે થઈ ગયો–એમ તે અજ્ઞાની માને છે;
અને એ જ પ્રમાણે મનુષ્ય કે નારકશરીરમાં રહેલા આત્માને, મનુષ્ય કે નારકીરૂપ માને