મારા જ્ઞાનાનંદસ્વરૂપથી હું કદી ચ્યુત થતો નથી. આવા જ્ઞાનાનંદસ્વરૂપની જે સમ્યક્શ્રદ્ધા
અને જ્ઞાન થયું તેનાથી ડગાવવા હવે જગતની કોઈ પ્રતિકૂળતા સમર્થ નથી;
જ્ઞાનસ્વરૂપના આશ્રયે જે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થયા તે હવે આત્માના જ આશ્રયે અચલ
ટકી રહે છે, કોઈ સંયોગના કારણે શ્રદ્ધા–જ્ઞાન ચલાયમાન થતા નથી. આવા
સ્વસંવેદનથી આત્મના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કરવી તે બહિરાત્મપણાથી
છૂટવાનો ને અંતરાત્મા (ધર્માત્મા) થવાનો ઉપાય છે, અને પછી આત્માના
ચૈતન્યસ્વભાવમાં લીન થઈને પોતે પરમાત્મા બની જાય છે.
ભિન્નતા છે. જેમ એક કષાઈ જેવો જીવ અને બીજો સજ્જન–એ બંને એક ઘરમાં ભેગા
રહ્યા હોય, પણ બંનેના ભાવો જુદા જ છે; તેમ આ લોકમાં જડ શરીરાદિ અને આત્મા
એકક્ષેત્રે રહ્યા હોવા છતાં બંનેના ભાવો તદ્ન જુદા છે, આત્મા પોતાના જ્ઞાન–આનંદ
વગેરે ભાવમાં રહ્યો છે, ને કર્મ–શરીરાદિ તો પોતાના અજીવ–જડ ભાવમાં રહ્યા છે,
બંનેની એકતા કદી થઈ જ નથી. સદાય અત્યંત ભિન્નતા જ છે.
સાથે એકતા કરીને તેના આનંદનું જ્યાં સ્વસંવેદન કર્યું ત્યાં બાહ્ય પદાર્થો અંશમાત્ર
પોતાના ભાસતા નથી, ને તેમાં ક્્યાંય સુખબુદ્ધિ રહેતી નથી. ચૈતન્યનું સુખ ચૈતન્યમાં
જ છે–એનો સ્વાદ જાણ્યો ત્યાં સંયોગની ભાવના રહેતી નથી.
પણ ઉપાધિરૂપ ભાવ છે, તે મારા જ્ઞાનદર્શનસ્વરૂપથી ભિન્ન છે. સાચી શાંતિ જોઈતી હોય
તો હે જીવો! આવા આત્માને તમે ઓળખો.
પોતાના શરીરને આત્મા માને છે, એટલે તેમાં જ તે મૂર્છાયેલો છે; પણ શરીરથી ભિન્ન
ચૈતન્ય–