Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 37

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૧ :
સમ્યગ્દ્રષ્ટિ–અંતરાત્મા પોતાના આત્માને દેહાદિથી ભિન્ન એવો જાણે છે કે હું તો
અનંત જ્ઞાન અને આનંદ શક્તિથી ભરેલો છું, મારા જ્ઞાનાનંદસ્વરૂપમાં હું અચલ છું,
મારા જ્ઞાનાનંદસ્વરૂપથી હું કદી ચ્યુત થતો નથી. આવા જ્ઞાનાનંદસ્વરૂપની જે સમ્યક્શ્રદ્ધા
અને જ્ઞાન થયું તેનાથી ડગાવવા હવે જગતની કોઈ પ્રતિકૂળતા સમર્થ નથી;
જ્ઞાનસ્વરૂપના આશ્રયે જે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન થયા તે હવે આત્માના જ આશ્રયે અચલ
ટકી રહે છે, કોઈ સંયોગના કારણે શ્રદ્ધા–જ્ઞાન ચલાયમાન થતા નથી. આવા
સ્વસંવેદનથી આત્મના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કરવી તે બહિરાત્મપણાથી
છૂટવાનો ને અંતરાત્મા (ધર્માત્મા) થવાનો ઉપાય છે, અને પછી આત્માના
ચૈતન્યસ્વભાવમાં લીન થઈને પોતે પરમાત્મા બની જાય છે.
આત્મા ચૈતન્યસ્વરૂપ છે, ને આ દેહ તો જડ છે, આત્મા અને શરીર એક
જગ્યાએ સાથે રહેલા હોવા છતાં બંનેના પોતપોતાના ભાવો જુદા છે, એટલે ભાવે
ભિન્નતા છે. જેમ એક કષાઈ જેવો જીવ અને બીજો સજ્જન–એ બંને એક ઘરમાં ભેગા
રહ્યા હોય, પણ બંનેના ભાવો જુદા જ છે; તેમ આ લોકમાં જડ શરીરાદિ અને આત્મા
એકક્ષેત્રે રહ્યા હોવા છતાં બંનેના ભાવો તદ્ન જુદા છે, આત્મા પોતાના જ્ઞાન–આનંદ
વગેરે ભાવમાં રહ્યો છે, ને કર્મ–શરીરાદિ તો પોતાના અજીવ–જડ ભાવમાં રહ્યા છે,
બંનેની એકતા કદી થઈ જ નથી. સદાય અત્યંત ભિન્નતા જ છે.
અરે ભાઈ! તારા આત્માનું વાસ્તવિકરૂપ શું છે તેને એકવાર જાણ તો ખરો!
દેહથી પાર, રાગથી પાર, અંતરમાં જ્ઞાનાદિ અનંતગુણસ્વરૂપ પોતાનો આત્મા છે, તેની
સાથે એકતા કરીને તેના આનંદનું જ્યાં સ્વસંવેદન કર્યું ત્યાં બાહ્ય પદાર્થો અંશમાત્ર
પોતાના ભાસતા નથી, ને તેમાં ક્્યાંય સુખબુદ્ધિ રહેતી નથી. ચૈતન્યનું સુખ ચૈતન્યમાં
જ છે–એનો સ્વાદ જાણ્યો ત્યાં સંયોગની ભાવના રહેતી નથી.
ધર્મી જાણે છે કે દેવ–મનુષ્ય વગેરે હું નથી, તેમાં રહેલું જે ચૈતન્યપણું છે તે જ હું
છું; જ્ઞાનસ્વરૂપ આત્મા તો હું છું, ને શરીર–કર્મ વગેરે તો જડસ્વરૂપ છે, તે હું નથી. રાગ
પણ ઉપાધિરૂપ ભાવ છે, તે મારા જ્ઞાનદર્શનસ્વરૂપથી ભિન્ન છે. સાચી શાંતિ જોઈતી હોય
તો હે જીવો! આવા આત્માને તમે ઓળખો.
જ્ઞાનીને તો એક પોતાનો ચૈતન્ય ભગવાન જ વહાલો છે, એ સિવાય સમસ્ત
બાહ્ય પદાર્થોને પોતાથી ભિન્ન જાણે છે, તેમાં ક્્યાંય તે મૂછાર્તા નથી. અજ્ઞાની તો
પોતાના શરીરને આત્મા માને છે, એટલે તેમાં જ તે મૂર્છાયેલો છે; પણ શરીરથી ભિન્ન
ચૈતન્ય–