જગાડયો, જાગતાં જ તેને ભાન થયું કે અરે, હું તો અવિનાશી ચેતન છું ને આ શરીર
જડ છે, તે કાંઈ હું નથી. મેં ભ્રમથી મને શરીરરૂપ માન્યો, પણ હું કાંઈ ચૈતન્ય મટીને
જડ થઈ ગયો નથી. શરીરના સંયોગ–વિયોગે મારું જન્મ–મરણ નથી. આવું ભાન થતાં
જ તેનું દુઃખ દૂર થયું ને તે આનંદિત થયો કે વાહ! જન્મ–મરણ મારામાં નથી, હું તો
સદા જીવંત ચૈતન્યમય છું. હું મનુષ્ય કે તિર્યંચ થઈ ગયો નથી, હું તો શરીરથી જુદો
ચૈતન્ય જ રહ્યો છું. જો હું શરીરથી જુદો ન હોઉં તો શરીર છૂટતાં હું કેમ જીવી શકું? હું
તો જાણનાર સ્વરૂપે સદાય જીવંત છું.
જીવ બાહ્ય સંયોગોમાં–પુણ્યમાં–રાગમાં જે સુખ માને છે તે તો સ્વપ્નાના સુખ જેવું છે.
જ્યાં ભેદજ્ઞાન કરીને જાગ્યો ત્યાં ભાન થયું કે અરે, બાહ્યમાં–રાગમાં ક્્યાંય મારું સુખ
નથી; તેમાં સુખ માન્યું તે તો ભ્રમ હતો, સાચું સુખ મારા આત્મામાં છે–આવા ચૈતન્યનું
ભાન કરે તો મિથ્યા માન્યતારૂપી રોગ ટળે, ને સમ્યગ્દર્શનાદિ નિરોગતા પ્રગટે,–તે જ
સુખ છે.
કઠણપત્થરા પર દોરીના વારંવાર ઘસારાથી ઘસાઈ–ઘસાઈને તેમાં લિસોટા થઈ જાય છે,
તેમ દેહથી ભિન્ન ચિદાનંદતત્ત્વની વારંવાર ભાવનાના અભ્યાસથી અનાદિ અવિદ્યાના
સંસ્કારનો નાશ થઈને ભેદજ્ઞાન થાય છે, ને અપૂર્વ જ્ઞાનસંસ્કાર પ્રગટે છે.
છે,–તેને મોક્ષ થતાં શરીર છૂટી જાય છે,–ફરીને શરમજનક દેહનો સંયોગ થતો નથી.
અશરીરી આત્માને ચૂકીને શરીરને જેણે પોતાનું માન્યું તે જ ચાર ગતિમાં પરિભ્રમણ
કરે છે. પણ અશરીરી ચૈતન્યસ્વભાવને ઓળખીને તેને જે આરાધે છે તે અશરીરી સિદ્ધ
થઈ જાય છે. યોગીન્દુસ્વામી કહે છે કે–