Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 37

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૫ :
યાદ આવે છે આકાશગામી
અરિહંતો.....ગગનવિહારી સંતો અને
(લે૦ બ્ર. હરિલાલ જૈન)
[
ગુરુદેવ હાલમાં જે વિસ્તૃત પ્રવાસ કરી રહ્યા છે તેમાં અનેક વખત વિમાનમાં
ગગનવિહારનો પ્રસંગ આવે છે. ગુરુદેવ સાથે ગગનવિહારનો પ્રસંગ આ પત્રના
સંપાદકને અનેકવાર પ્રાપ્ત થયો છે. ગત વર્ષમાં એક વિમાનપ્રવાસ વખતે વિમાનમાં
બેઠાબેઠા જે ભાવનાઓ લખેલી, તે અહીં આપવામાં આવે છે.)
–‘અહા’, ગુરુ સાથે નિરાલંબી મોક્ષપંથે જઈ રહ્યા છીએ.’ સમ્યક્ત્વાદિ
નિરાલંબીભાવ જાગતાં પહેલાંં નિરાલંબીપણા તરફનો મહાન વેગ ઊપડે છે તેમ,
ગગનવિહાર પહેલાંં તે માટેનો મહાન વેગ શરૂ થયો. વિમાને વેગ પકડ્યો. હજી જમીન
ઉપર દોડે છે! આહા, કેવો વેગ! હજી તો સવિકલ્પ દશામાં જ છીએ...ત્યાં તો એકક્ષણમાં
નિર્વિકલ્પદશામાં આવી ગયા. ચૈતન્ય તરફના તીવ્ર વેગથી, સવિકલ્પમાંથી નિર્વિકલ્પ
ક્્યારે થઈ જવાય છે!–તે લક્ષ રહેતું નથી, તેમ વેગવાળું વિમાન જમીનનું આલંબન
છોડીને ક્્યારે નીરાલંબી થઈ ગયું–તેનું લક્ષ પણ ન રહ્યું. વેગ તો નિરાલંબી તરફ જ
હતો જ્યાં બારીમાંથી