Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 37

background image
: ૨૬ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
બહાર જોયું ત્યાં તો નીચે દરિયો, પણ અમે તો એ–દરિયાની ઉપર તરીએ છીએ, ઊડીએ
છીએ; વચ્ચે અનેક નગરીઓ દેખાય છે પણ તે નગરીથી અત્યંત અલિપ્ત છીએ. આખી
નગરીને જોવા છતાં તેનાથી ઘણા ઊંચે, નિજસ્થાને જ ગમન કરીએ છીએ.
અતિશય ઝડપ અને છતાં અત્યંત મધુરી શાંતિ! સ્વાનુભૂતિમાં પરિણામની
અતિશય ઝડપ અને છતાં કેવી મધુરી શાંતિ! બધું જોયા કરવાનું ગમે છે અને છતાં
ક્્યાંય મોહ નથી થતો,–નિર્લેપપણે દુનિયાને દેખી રહ્યા છીએ. સર્વત્ર જાણે સુંદરતા જ
વ્યાપેલી છે. અહા, ચૈતન્ય પોતે પોતાની સુંદરતામાં હોય ત્યારે તેને માટે આખુંય વિશ્વ
સુંદર જ છે, એને માટે અસુંદર જગતમાં કાંઈ નથી.
ગુરુ તો સાથે જ છે. સાલંબીભાવ વખતે બહારમાં ગુરુનું અવલંબન હતું, તો આ
નિરાલંબી ભાવમાં ગુરુનો સાથ છે...ગુરુ પણ નિરાલંબી, ને તેના માર્ગે ચાલનારા જીવો
પણ નિરાલંબી. અહો! ચૈતન્યનો નિરાલંબી માર્ગ! કેટલો સુંદર છે! કેવો પ્રશસ્ત છે! ને
ઈષ્ટ–સ્થાને કેવી ઝડપથી પહોંચાડે છે! અહા! આવા માર્ગે જતાં નિજધ્યાનની શાંત
ઉર્મિઓ જાગે છે!
જગતની કોઈ જંજાળ નથી. જગતનો કોઈ કોલાહલ નથી.
જગતની કોઈ પ્રવૃત્તિ નથી. માર્ગમાં કોઈ રૂકાવટ નથી.
જેમ વિમાનપ્રવાસ શરૂ કરતાં પહેલાંં ત્રણ ત્રણ વખત ચેકીંગ કરાવીને નિઃશંકતા
કરી, તેમ ચૈતન્યના નિરાલંબી માર્ગમાં આવતાં પહેલાંં વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રનું
પૂરેપૂરું ચેકીંગ કરીને, બરાબર પરીક્ષા કરીને, માર્ગની નિઃશંકતા પ્રાપ્ત કરી; ને પછી
નિઃશંકતાના બળે માર્ગ શરૂ કર્યો...જ્ઞાનગગનમાં ઊડયા! અહા, માર્ગ શરૂ થયા પહેલાંં
વિમાનમાં કેવો બફારો થતો હતો! સૌ કેવા અકળાતા હતા! ને પરસેવે રેબઝેબ થઈને
નીતરતા હતા! પણ જ્યાં માર્ગમાં પ્રવાસ શરૂ થયો ત્યાં અકળામણ મટી ગઈ, ને કેવી
મીઠી શાંતિ ને ઠંડક આવવા માંડી! તેમ ચૈતન્યમાર્ગમાં જીવ જ્યાં સુધી ચાલવા ન માંડે
ત્યાં સુધી જ તેને અકળામણ ને મૂંઝવણ થાય છે; પણ જ્યાં માર્ગમાં ચાલવા માંડે છે–
પરિણતિ અંતરમાં વળે છે, ત્યાં તો બધી અકળામણ મૂંઝવણ કે કષાયનો બફારો દૂર
થઈને પરમ શીતળ–શાંતિ વેદનમાં આવે છે. માર્ગમાં થાક લાગતો નથી.
વાહ રે વાહ! ધન્ય શ્રી ગુરુઓનો નીરાલંબી માર્ગ! ને ધન્ય એ નીરાલંબી
માર્ગનો પ્રવાસ!