પોતે આત્માના નિજસ્વરૂપમાં સ્થિર હોવાથી, આત્મા સ્થિર–શાંત અનુભવાય છે, તેમાં
પરિણમનજન્ય કોઈ આકુળતા નથી.
છે, જ્ઞાનની મહાન વિશાળતા દેખાય છે. તેમ આત્મા પરભાવોથી જુદો પડીને તેનાથી
દૂર થયો ત્યાં હવે પરભાવને કે જગતના જ્ઞેયોને જાણવાનું સહેલું પડે છે, ઘણું જાણવા
છતાં રાગ–દ્વેષ થતા નથી પણ ઊલ્ટી વીતરાગી શાંતિ વધતી જાય છે. ઘણા જ્ઞેયો, સૂક્ષ્મ
ભાવો બધું એકસાથે દેખાય છે. આટલા બધા જ્ઞેયોને જાણવા છતાં જ્ઞાન પાસે તો તે
અત્યંત અલ્પ લાગે છે, ને જ્ઞાનની વિશાળતા ઘણી–ઘણી મહાન છે,–તે મહાનતા
પોતામાં જ સમાય છે. વાહ રે વાહ આત્મદેવ!
કુંદકુંદદેવ! અને તેમનું વિદેહગમન!
દરિયો, છતાં ભેદજ્ઞાનરૂપી એરોપ્લેનમાં બેસીને તેને તરી રહ્યા છીએ. એરોપ્લેનમાં
બેસવું તે જીવોને નવીન લાગે છે–પણ આ ભેદજ્ઞાનરૂપી નિરાલંબી પ્લેનમાં બેસવાની જે
આનંદમય અપૂર્વતા છે તેનો સ્વાદ તો કોઈ અભૂતપૂર્વ, આશ્ચર્યકારી છે. સંતોના પ્રતાપે
અમને એ નવીનતા પ્રાપ્ત થઈ ગઈ છે જેમ એરોપ્લેનની મુસાફરી પણ જીંદગીમાં
સંતોના જ પ્રતાપે થઈ છે, તેમ ચૈતન્યગગનમાં પ્રવાસ પણ અહો! સંતોના પ્રતાપે થયો
છે.