સુંદર જીવન હોય? તે સંબંધી આઠ વિવિધ લેખોનું સમ્યક્ત્વ–
જિજ્ઞાસુઓને ખૂબ જ ગમ્યું છે. પ્રથમના આઠ લેખો આત્મધર્મમાં
તેમ જ ‘સમ્યગ્દર્શન’–પુસ્તકના પાંચમા ભાગમાં છપાઈ ગયા છે.
ત્યારપછીના બીજા આઠ લેખો અહીં આપવામાં આવશે. (સં.)
સાચા દેવ–ગુરુ–ધર્મ કે જેઓ આત્માની સાચી શાંતિનો માર્ગ બતાવે છે તે તેને ગમી
જાય છે, એટલે જ્ઞાનમાં તેમના સ્વરૂપનો બરાબર નિર્ણય કરીને તેમના પ્રત્યે અર્પણતા
કરી હોય છે. નવ તત્ત્વના ભિન્ન ભિન્ન ભાવોને જેમ છે તેમ વિચારે છે; શુભરાગ વગેરે
બંધભાવને નિર્જરામાં ખતવતો નથી, તેમજ તેને સમ્યગ્દર્શનાદિ–સંવર–નિર્જરાનું કારણ
માનતો નથી; એ રીતે નવતત્ત્વ જેમ છે તેમ બરાબર જ્ઞાનમાં જાણે છે.
ને જુગાર–સિનેમા–રાત્રિભોજન વગેરે તીવ્રપાપથી પણ તે દૂર રહે છે. અરે, જેમાં
શાંતિની ગંધ પણ નથી એવા નિષ્પ્રયોજન પાપકાર્યો તે શાંતિના ચાહક જીવને કેમ
ગમે? સત્સમાગમ, વીતરાગની પૂજા–ભક્તિ, આત્મશાંતિના પોષક ગ્રંથોનું વાંચન,
મનન તેને ખૂબ ગમે છે. તેમાં જે શુભપરિણામ થાય છે તેને અને તે વખતના
જ્ઞાનરસના ઘોલનને તે જુદા–જુદા ઓળખે છે; તેમાંથી તે રાગના ભાગને ધર્મનું સાધન
માનતો નથી; તે રાગ