છે તેટલું બંધન થાય છે, પણ તે અલ્પ છે, તેનાથી અનંત સંસાર વધતો નથી. જ્યારે
અજ્ઞાનીને શુભભાવ હોય તોય તે રાગથી ભિન્ન ચૈતન્યને જ જાણતો હોવાથી તેને
મિથ્યાત્વને લીધે અનંત સંસાર ઊભો છે.
છે, તથા ક્્યારે સંસારથી વિરક્ત થઈને મુનિ થાઉં અને સ્વરૂપમાં લીન થઈને પૂર્ણ
સુખમય બની જાઉં–એવી અંતરંગભાવના નિરંતર હોય છે. સર્વજ્ઞ–સ્વભાવનો અને
વસ્તુમાં ક્રમબદ્ધ–પરિણમનનો પણ તેને બરાબર નિર્ણય વર્તે છે. જ્યાંસુધી પૂર્ણપદ ન
પમાય ત્યાંસુધી ભેદજ્ઞાન ચાલુ છે, અને પૂર્ણતાના લક્ષે ઊપડ્યો છે તેની સાધના ચાલુ
છે, તે થોડાક વખતમાં પૂર્ણપદને જરૂર પામશે જ.–સમ્યગ્દર્શનનો આ પ્રતાપ છે.
દેતી નથી. સ્વાનુભવના શાંતરસથી તે તૃપ્ત–તૃપ્ત છે; ચૈતન્યના આનંદની
મસ્તીમાં તે એવા મસ્ત છે કે હવે બીજું કાંઈ કરવાનું રહ્યું નથી...હું જ જ્ઞાન–
દર્શન–ચારિત્ર છું, હું જ મોક્ષ છું, હું જ સુખ છું; મારો સ્વભાવ વૃદ્ધિગત જ
છે, પરભાવનો મારામાં પ્રવેશ નથી. હું મારા ચૈતન્યવિલાસસ્વરૂપ છું.
ચૈતન્યમાં બીજા કોઈની ચિન્તા નથી. એકત્વ ચૈતન્યના ચિન્તનમાં પરમ
સુખ છે. સર્વ સુખ–સંપત્તિનો નિધાન એવો હું છું. મારા સ્વરૂપને દેખીદેખીને
જો કે પરમ તૃપ્તિ અનુભવાય છે, તોપણ એ અનુભવની કદી તૃપ્તિ થતી નથી,
સ્વાનુભવમાં સમાય છે.–આવી જેની અનુભવદશા...તે જીવ ધર્મી...