Atmadharma magazine - Ank 384
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 102 of 106

background image
: ૯૪ : આત્મધર્મ : આસો : ૨૫૦૧
* સમ્યક્મતિશ્રુતજ્ઞાનમાં મોક્ષેન સાધવાની તાકાત છે *
મતિ–શ્રતજ્ઞાનની સમ્યગ્દ્રષ્ટિ જાણે છે કે અમે પણ સર્વજ્ઞપદને સાધનારા
સર્વજ્ઞદેવના પુત્ર છીએ. ગણધરો – મુનિવરો તે મોટા પુત્રો છે, ને અમે અવિરત –
સમકિતી નાના પુત્ર છીએ, – નાના પણ સર્વજ્ઞના પુત્ર છીએ, એટલે રાગથી જુદા
પડ્યા છીએ; જ્ઞાન અને રાગની ભિન્નતાના ભેદજ્ઞાન વડે રાગ સાથેનું રાગપણ
તોડીને સર્વજ્ઞપદ સાથે સગપણ બાંધ્યું છે – તેથી અમારું ચિત્ત પરમ શાંત થયું છે, ને
ગણધરાદિની જેમ અમે પણ પ્રભુના મોક્ષમાર્ગમાં આનંદથી ચાલી રહ્યા છીએ.
કેળવજ્ઞાન તે પૂરુ જ્ઞાન છે, મતિ – શ્રુતજ્ઞાન તે જ્ઞાનનો અવયવ છે, – ભલે
અધૂરું પણ છે તો જ્ઞાનની જ જાત, એટલે તે પણ કેવળજ્ઞાનની જાતનું જ છે. એક જ
પિતાના બે પુત્રોની જેમ કેવળજ્ઞાન અને મતિજ્ઞાન બંને જ્ઞાનની જ જાત છે, એક
જ્ઞાનનું જ પરિણમન છે. જેમ કેવળજ્ઞાન રાગનું કર્તૃત્વ નથી, તેમ સમ્યગ્દ્રષ્ટિના મતિ –
શ્રુતજ્ઞાનમાં પણ જ્ઞાનથી ભિન્ન રાગાદિનું કર્તૃત્વ નથી; જ્ઞાનસ્વભાવમાં જ તન્મય
પરિણમતું તેનું જ્ઞાન પણ કેવળજ્ઞાનની જેમ જ રાગનું ને પરનું જ્ઞાતા છે, તોથી જુદું
રહીને તેને જાણે છે. આવું મતિ – શ્રુતજ્ઞાન અતીન્દ્રિય સુખને સાથે લેતું પ્રગટે છે; ને
પછી તે વધતાં – વધતાં કેવળજ્ઞાનમાં પર્ણ સુખ પ્રગટે છે, તે સૌથી મહાન સર્વોત્કૃષ્ટ
સુખ છે. અહો, એ જ્ઞાન ને એ સુખના મહિમાની શી વાત? કેવળજ્ઞાનમાં એવું
અચિંત્ય સામર્થ્ય છે કે અનંત એવા આકાશને પણ તે અનં તરીકે જાણી લ્યે છે; એક
સાથે ત્રણકાળ ત્રણલોકને જાણે છતાં ક્યાંય વિકલ્પ કરતું નથી, પોતાના વીતરાગી
ચૈતન્યરસમાં જ લીન રહે છે. જ્ઞાનના આવા સ્વાદનો નિર્ણય સમ્યગ્દ્રષ્ટિને જ થાય છે.
દરેક જીવમાં આવો જ્ઞાનસ્વભાવ છે તેની પ્રતીત કરીને, હે જીવો! તેનું સેવન કરો.
જેમ નાનું પણ સિહનું બચ્ચું – તે મોટા હાથીનેય ભગાડે, તેમ સમ્યગ્દ્રષ્ટિ
ભલે નાનો પણ સર્વજ્ઞનો પુત્ર, તેનું જ્ઞાન ભલે થોડું પણ સર્વજ્ઞની જાતનું
સમ્યગ્જ્ઞાન, તે સર્વે મોહરૂપી હાથીને ભગાડી મુકે ને મોક્ષને સાધે – એવી
તાકાતવાળું છે.
મુમુક્ષુજીવ
મુમુક્ષુ જીવ નિરંતર સમ્યક્ત્વની ભાવનાવડે ચૈતન્યરસને
ઘૂંટતો ઘૂંટતો શીઘ્ર આત્માને સાધે છે.