‘આત્મધર્મ’ ના કાર્ય દ્વારા જ્ઞાનરસનું નિરંતર ઘોલન, એ બધું જેમના પ્રતાપે પ્રાપ્ત થયું
– તે પરમ ઉપકારી ગુરુદેવના ચરણમાં હૃદયની ઊર્મિથી લાખ–લાખ વંદન કરું છું.
મેં સાચા ભાવથી કરી છે... આમ છતાં તેમાં મારાથી જે કાંઈ ક્ષતિ – દોષ થયા હોય
તે માટે હું દીનભાવપૂર્વક વિનયથી હાથ જોડીને ક્ષમા માંગુ છું. હે જિનવાણી માતા!
ઉદારદિલે તમારા આ બાળકને ક્ષમા કરજો, માતા! મારું જીવન સદાય તમારી સેવા
માટે જ છે. આજે વિદાયની વેળાએ અને સન્તોષ છે કે જિનવાણી માતાની સાચા
ભાવથી મેં જે સેવા કરી છે તેનું સમ્યક્ફળ જિનવાણી –માતાએ મને આપ્યું છે.
પૂરું થાય છે, ને સાથે સાથે મારું સંપાદકત્વ પણ હવે પૂરું થાય છે..... આત્મધર્મના
સંપાદનકાર્યથી હું હવે વિદાય લઉં છું.
ગુરુદેવના અનંત અનંત ઉપકારો... ને મારા હૃદયમાં ઊભરાય છે પૂ. માતાજીની
વાત્સલ્યભરી ઊર્મિઓ! અને, મારા સૌ સાધર્મી ભાઈ – બેનોના વાત્સલ્યપેમને
પણ હું કેમ ભૂલું! બસ બંધુઓ! આવો જૈનમાર્ગ પામીને આત્માની સાધનામાં ખૂબ
– ખૂબ આગળ વધજો.... ને સૌ આનંદમાં રહેજો... મંગલ વિદાય! “જય મહાવીર.”
જિનશાસનની છાયડી, વસજો ઉર સદાય!
જિનવાણીની સેવા જીવનનો એ સાર!
સાધર્મીને સ્નેહથી દુઃખમાં દેજો પ્યાર!
દેવ–ગુરુ ને ધર્મનું શરણું રહો સદાય;
મંગલકારી આત્મા, (બસ!) એ જ સત્ય સુખદાય.