Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 8 of 24
PDF/HTML Page 11 of 27

 

background image
બાહ્ય પદાર્થોમાં જોડાયેલા રહે છે ત્યાં સુધી કોઈપણ મનુષ્ય
આપના સ્વરૂપને પ્રાપ્ત કરી શકતો નથી; પરંતુ જે મનુષ્ય
મન તથા ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થોથી પાછા હઠાવી લે છે તે
વાસ્તવિકપણે આપના સ્વરૂપને દેખી અને જાણી શકે છે,
માટે જે મનુષ્ય સમસ્ત પ્રકારના પરિગ્રહોથી રહિત થઈ,
શાસ્ત્રોના સારી રીતે જ્ઞાતા થઈ, શાંત અને એકાંતવાસી થઈ,
મન તથા ઇન્દ્રિયોને બાહ્ય પદાર્થોથી પાછા હઠાવી લઈ અને
તેમને આપના સ્વરૂપમાં જોડી દઈ આપને જોઈ લીધા છે,
તે મનુષ્યે આપના સમીપપણાને પ્રાપ્ત કર્યું છે, એમ સારી
રીતે નિશ્ચિત છે.
સ્વભાવની એકાગ્રતાથી ઉત્તમપદમોક્ષની
પ્રાપ્તિ :
૧૨. અર્થ :હે અર્હંત્ પ્રભુ ! પૂર્વ ભવમાં કષ્ટથી
સંચય કરેલ મહા પુણ્યથી જે મનુષ્ય, ત્રણ લોકના પૂજાર્હ
(પૂજાને યોગ્ય) આપને પામ્યો છે તે મનુષ્યને, બ્રહ્મા, વિષ્ણુ
આદિને પણ નિશ્ચયપૂર્વક અલભ્ય એવું ઉત્તમ પદ પ્રાપ્ત થાય
છે. હે નાથ ! હું શું કરું ? આપનામાં એક ચિત્ત કર્યા છતાં
મારું મન પ્રબળપણે બાહ્ય પદાર્થો પ્રત્યે દોડે છે, એ મોટો
ખેદ છે.
ભાવાર્થ :હે ભગવાન ! જે મનુષ્યે આપને પ્રાપ્ત
કર્યા છે તે મનુષ્યને ઉત્તમ પદની પ્રાપ્તિ થાય છે. સ્વયં
બ્રહ્મા, વિષ્ણુ પણ તે પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ હે
[ ૮ ]