Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 9 of 24
PDF/HTML Page 12 of 27

 

background image
જિનેંદ્ર ! આ સર્વ વાત જાણતાં છતાં અને મારું ચિત્ત
આપનામાં લગાડતાં છતાં પણ બાહ્ય પદાર્થોમાં દોડી-દોડી
જાય છે, એ જ મોટો ખેદ છે.
મોક્ષાર્થે વીર્યનો વેગ :
૧૩. અર્થ :હે જિનેશ ! આ સંસાર નાના પ્રકારના
દુઃખો દેનાર છે. જ્યારે વાસ્તવિક સુખનો આપનાર તો મોક્ષ
છે, તેથી તે મોક્ષની પ્રાપ્તિ અર્થે અમે સમસ્ત ધન, ધાન્ય આદિ
પરિગ્રહોનો ત્યાગ કર્યો, તપોવન (તપથી પવિત્ર થયેલી ભૂમિ)માં
વાસ કર્યો, સર્વ પ્રકારના સંશય પણ છોડ્યા અને અત્યંત કઠિન
વ્રત પણ ધારણ કર્યા, હજી સુધી તેવાં દુષ્કર વ્રતો ધારણ કર્યા
છતાં પણ સિદ્ધિ (મોક્ષ)ની પ્રાપ્તિ ન થઈ, કેમ કે પ્રબળ પવનથી
કંપાયેલા પાંદડાની માફક અમારું મન રાત્રિ-દિવસ બાહ્ય
પદાર્થોમાં ભ્રમણ કરતું રહે છે.
મનને સંસારનું કારણ જાણી પશ્ચાત્તાપ :
૧૪. અર્થ :હે ભગવાન ! જે મન, બાહ્ય પદાર્થોને
મનોહર માની તેમની પ્રાપ્તિ માટે જ્યાં ત્યાં ભટક્યા કરે છે,
જે જ્ઞાનસ્વરૂપી આત્માને વિના પ્રયોજને સદા અત્યંત વ્યાકુલ
કર્યા કરે છે, જે ઇન્દ્રિયરૂપ ગામને વસાવે છે (અર્થાત્ આ
મનની કૃપાથી જ ઇન્દ્રિયોની વિષયોમાં સ્થિતિ થાય છે) અને
જે સંસાર ઉત્પાદક કર્મોનો પરમ મિત્ર છે, (અર્થાત્ મન
૧. મોક્ષ=આત્માની સંપૂર્ણ નિર્મળ દશા.
[ ૯ ]