Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 10 of 24
PDF/HTML Page 13 of 27

 

background image
આત્મારૂપ ગૃહમાં કર્મોને સદા લાવે છે), તે મન, જ્યાં સુધી
જીવિત રહે છે ત્યાં સુધી મુનિઓને ક્યાંથી કલ્યાણની પ્રાપ્તિ
હોઈ શકે ! અર્થાત્ કલ્યાણની પ્રાપ્તિ હોઈ શકે નહિ.
ભાવાર્થ :જ્યાં સુધી આત્મામાં કર્મોનું આવાગમન
રહ્યાં જ કરે છે ત્યાં સુધી આત્મા સદા વ્યાકુળ જ થતો રહે
છે. તે કર્મ આત્મામાં મન દ્વારા આવે છે; કેમ કે મનના
આશ્રયથી ઇન્દ્રિયો, રૂપ આદિ દેખવામાં પ્રવૃત્ત થાય છે અને
રૂપ આદિને દેખી જીવ રાગ-દ્વેષ આદિ ઉત્પન્ન કરે છે, ત્યારે
તેને જ્ઞાનાવરણ આદિ દ્રવ્યકર્મોની ઉત્પત્તિ થાય છે; તેથી તે
કર્મોના સંબંધથી આત્મા સદા વ્યાકુળ જ રહે છે અને જ્યારે
આત્મા જ વ્યાકુળ રહે ત્યારે મુનિઓને કલ્યાણની પ્રાપ્તિ પણ
ક્યાંથી હોઈ શકે ? માટે મન જ કલ્યાણને રોકનારું છે.
મોહના નાશ માટે પ્રાર્થના :
૧૫. અર્થ :મારું મન, નિર્મળ તથા શુદ્ધ અખંડ
જ્ઞાનસ્વરૂપ આપમાં લગાવ્યાં છતાં પણ, મૃત્યુ તો આવવાનું જ
છે એવા વિકલ્પ વડે, આપથી અન્ય બાહ્ય સમસ્ત પદાર્થો
તરફ નિરંતર ઘૂમ્યા કરે છે. હે સ્વામિન્ ! તો શું કરવું ? કેમ
કે આ જગતમાં, મોહવશાત્ કોને મૃત્યુનો ભય નથી ? સર્વને
છે, માટે સવિનય પ્રાર્થના છે કે સમસ્ત પ્રકારના અનર્થો
કરનાર તથા અહિત કરનાર મારા મોહને નષ્ટ કરો.
ભાવાર્થ :જ્યાં સુધી મોહનો સંબંધ આત્માની સાથે
[ ૧૦ ]