Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 11 of 24
PDF/HTML Page 14 of 27

 

background image
રહેશે ત્યાં સુધી મારું ચિત્ત, બાહ્ય પદાર્થોમાં ઘૂમ્યા કરશે અને
જ્યાં સુધી ચિત્ત ઘૂમતું રહેશે ત્યાં સુધી આત્મામાં સદા કર્મોનું
આવાગમન પણ રહ્યા કરશે. આ પ્રકારે તો આત્મા સદા વ્યાકુળ
જ રહ્યા કરશે, માટે હે ભગવાન ! આ નાના પ્રકારના અનર્થો
કરનાર મારા મોહને સર્વથા નષ્ટ કરો કે જેથી મારા આત્માને
શાંતિ થાય.
સર્વ કર્મોમાં મોહ જ બળવાન છે, એમ
આચાર્ય દર્શાવે છે :
૧૬. અર્થ :જ્ઞાનાવરણ આદિ સમસ્ત કર્મોમાં મોહ-
કર્મ જ અત્યંત બળવાન કર્મ છે. એ મોહના પ્રભાવથી આ મન
જ્યાં ત્યાં ચંચળ બની ભ્રમણ કરે છે અને મરણથી ડરે છે. જો
આ મોહ ન હોય તો નિશ્ચયનય પ્રમાણે ન તો કોઈ જીવે યા
ન તો કોઈ મરે, કેમ કે આપે આ જગતને જે અનેક પ્રકારે દેખ્યું
છે, તે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જ દેખ્યું છે. દ્રવ્યાર્થિક
નયની અપેક્ષાએ નહિ, તેથી હે જિનેંદ્ર ! આ મારા મોહને જ
સર્વથા નષ્ટ કરો.
પર સંયોગ અધા્રુવ જાણી તેનાથી ખસી, એક
ધા્રુવ આત્મસ્વભાવમાં સ્થિત થવાની ભાવના :
૧૭. અર્થ :વાયુથી વ્યાપ્ત સમુદ્રની ક્ષણિક જળ-
લહરીઓના સમૂહ સમાન, સર્વ કાળે તથા સર્વ ક્ષેત્રે આ જગત
૧. મોહ=મોહ પ્રત્યેનું વલણ.
[ ૧૧ ]