Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 12 of 24
PDF/HTML Page 15 of 27

 

background image
ક્ષણ માત્રમાં વિનાશી છે. એવો સમ્યક્ પ્રકારે વિચાર કરી, આ
મારું મન સમસ્ત સંસારને ઉત્પન્ન કરનાર વ્યાપાર (પ્રવૃત્તિ)થી
રહિત થઈ, હે જિનેંદ્ર ! આપના નિર્વિકાર પરમાનંદમય
પરબ્રહ્મસ્વરૂપમાં સ્થિત થવાને ઇચ્છા કરે છે.
શુભ, અશુભ ઉપયોગથી ખસી શુદ્ધ
ઉપયોગમાં નિવાસની ભાવના :
૧૮. અર્થ :જે સમયે અશુભ ઉપયોગ વર્તે છે તે
સમયે તો પાપની ઉત્પત્તિ થાય છે અને તે પાપથી જીવ નાના
પ્રકારના દુઃખોને અનુભવે છે, જે સમયે શુભ ઉપયોગ વર્તે છે
તે સમયે પુણ્યની ઉત્પત્તિ થાય છે; અને તે પુણ્યથી જીવને
સુખ
પ્રાપ્ત થાય છે. એ બંને પાપ-પુણ્યરૂપ દ્વન્દ્વ સંસારનું જ કારણ
છે. અર્થાત્ એ બંનેથી સદા સંસાર જ ઉત્પન્ન થાય છે, કિંતુ
શુદ્ધોપયોગથી અવિનાશી અને આનંદસ્વરૂપ પદની પ્રાપ્તિ થાય
છે. હે અર્હંત પ્રભો ! આપ તો તે પદમાં નિવાસ કરી રહ્યા
છો, પણ હું એ શુદ્ધોપયોગરૂપ પદમાં નિવાસ કરવાને ઇચ્છું છું.
ભાવાર્થ :ઉપયોગના ત્રણ ભેદ છે, પહેલો અશુભોપ-
યોગ, બીજો શુભોપયોગ અને ત્રીજો શુદ્ધોપયોગ. તેમાં પહેલાં
બે ઉપયોગથી તો સંસારમાં જ ભટકવું પડે છે; કેમ કે જે સમયે
જીવનો ઉપયોગ અશુભ હશે તે સમયે તેને પાપનો બંધ થશે
અને પાપનો બંધ થવાથી તેને નાના પ્રકારની માઠી ગતિઓમાં
૧. અનુકૂળ સંયોગ.
[ ૧૨ ]