દૂર કરો; કેમ કે નીતિમાન પ્રભુઓનો તો એ ધર્મ છે કે તે
સજ્જનોની રક્ષા કરે અને દુષ્ટોનો નાશ કરે.
કર્મ છે, કેમ કે તે કર્મની કૃપાથી મારા આ સ્વભાવ પર
આવરણ પડ્યું છે. હવે આ સમયે અમે બંને આપની સમક્ષ
હાજર છીએ તો તે દુષ્ટ કર્મને દૂર કરો, કેમ કે આપ ત્રણ
લોકના સ્વામી છો; અને નીતિજ્ઞનો ધર્મ છે કે તે સજ્જનોની
રક્ષા કરે તથા દુષ્ટોનો નાશ કરે.
આકાશના સ્વરૂપનો કાંઈપણ ફેરફાર કરી શકતાં નથી, તેમ
આધિ, વ્યાધિ, જરા, મરણ આદિ પણ મારા સ્વરૂપનો
કાંઈપણ ફેરફાર કરી શકે તેમ નથી, કેમ કે એ સર્વ શરીરના
વિકાર છે, જડ છે; જ્યારે મારો આત્મા જ્ઞાનવાન અને
શરીરથી ભિન્ન છે.