ચૈતન્યથી આ કર્મોને ભિન્ન પાડવામાં આપ જ કારણ છો;
તેથી હે શુદ્ધાત્મન્ ! હે જિનેંદ્ર ! મારી સ્થિતિ નિશ્ચયપૂર્વક
આપમાં જ છે.
આપનો આત્મા કર્મબંધ રહિત છે તેમ મારા આત્મા સાથે પણ
કોઈ પ્રકારના કર્મોનું બંધન રહેતું નથી; તેથી હે ભગવાન!
મારી સ્થિતિ નિશ્ચયપૂર્વક આપના સ્વરૂપમાં જ છે.
(લક્ષ્મીથી) પ્રયોજન, નથી તો શરીરથી પ્રયોજન, તારે વચન
તથા ઇન્દ્રિયોથી પણ કાંઈ કામ નથી, તેમ જ
કામ નથી, કેમ કે તે સર્વ પુદ્ગલ દ્રવ્યના જ પર્યાયો છે. વળી
તારાથી ભિન્ન છે તોપણ, બહુ ખેદની વાત એ છે કે તું તેમને
પોતાના માની તેમનો આશ્રય કરે છે, તેથી શું તું દ્રઢ બંધનથી
બંધાઈશ નહિ? અવશ્ય બંધાઈશ.