વચન આદિ સર્વ પદાર્થો પુદ્ગલ દ્રવ્યના પર્યાય છે અને
તારાથી ભિન્ન છે, એમ હોવા છતાં પણ, જો તું તેમને
પોતાના સમજી તેમનો આશ્રય કરીશ તો તું અવશ્યમેવ
બંધાઈશ; તેથી તે સર્વ પરપદાર્થો પરની મમતા છોડી
શુદ્ધાનંદ ચૈતન્યસ્વરૂપ આત્માનું ધ્યાન કર કે જેથી તું કર્મોથી
ન બંધાય.
સહકારી છે, તેથી મારા સહાયક થઈને જ રહે છે; પરંતુ
નોકર્મ (ત્રણ શરીર, છ પર્યાપ્તિ) અને કર્મ જેનું સ્વરૂપ છે,
એવું તથા સમીપે રહેનાર અને બંધને કરનાર એક પુદ્ગલ
દ્રવ્ય જ મારું વૈરી છે, તેથી આ સમયે મેં તેના
ભેદવિજ્ઞાનરૂપ તલવારથી ખંડખંડ ઊડાવી દીધા છે. (ખરો
વૈરી તો પોતાનો અશુદ્ધભાવ છે.)
કાલ