પૂર્વોપાર્જિત પુણ્યોથી આપમાં મારી જે દ્રઢ ભક્તિ છે તે ભક્તિ
જ, હે જિન ! મને સંસારરૂપ સમુદ્રથી પાર ઉતારવામાં નૌકા
સમાન થાઓ. અર્થાત્ મને સંસારસમુદ્રથી આ ભક્તિ જ પાર
ઉતારી શકશે.
(તપ)થી થાય છે. હે ભગવાન ! શક્તિના અભાવથી આ
પંચમકાલમાં મારા જેવો મનુષ્ય તે તપ કરી શકતો નથી; તેથી
હે પરમાત્મા ! મારી એ પ્રાર્થના છે કે સદ્ભાગ્યે આપમાં મારી
જે દ્રઢ ભક્તિ છે, તેનાથી મારા કર્મ નષ્ટ થઈ જાઓ અને મને
મોક્ષની પ્રાપ્તિ થાઓ.
પણ અનંતવાર પ્રાપ્ત કરી છે, તેથી એ પદવીઓમાંથી કોઈ પણ
પદવી મારા માટે અપૂર્વ નથી; કિંતુ મોક્ષપદને આપનાર
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્રના ઐક્યની પદવી જે
અપૂર્વ છે તે હજી સુધી મળી નથી, તેથી હે દેવ ! મારી
સવિનય પ્રાર્થના છે કે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્-
ચારિત્રની પદવી જ પૂર્ણ કરો.