Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 23 of 24
PDF/HTML Page 26 of 27

 

background image
કૃતિને ત્રણે (પ્રાતઃ, મધ્યાહ્ન, સાયં) કાલ, શ્રી અર્હંત્ પ્રભુ સામે
ભણે તે બુદ્ધિમાન મનુષ્ય એવા ઉચ્ચ પદને પ્રાપ્ત થાય છે કે
જે પદ મોટા મોટા મુનિઓ ચિરકાલપર્યંત તપ દ્વારા ઘોર પ્રયત્ને
પામી શકે છે.
ભાવાર્થ :જે મનુષ્ય (સ્વભાવના ભાન સહિત)
પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ અને સાયંકાળત્રણે કાલ શ્રી અરહંત-
દેવ સામે આલોચનાનો પાઠ કરે છે તે શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરે
છે, તેથી મોક્ષાભિલાષીઓએ શ્રી અરહંતદેવ સામે શ્રી પદ્મનંદિ
આચાર્ય દ્વારા રચાયેલી આલોચના નામની કૃતિનો પાઠ ત્રણે કાળ
અવશ્યમેવ કરવો જોઈએ.
ઇતિ આલોચના અધિકાર સમાપ્ત.
આલોચના સંભળાવનાર પરમકૃપાળુ
શ્રી સદ્ગુરુદેવ-ઉપકારદર્શન
અહો! અહો! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર;
આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.
શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન;
તે તો પ્રભુએ આપિયો, વર્તું ચરણાધીન.
આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન;
દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.
[ ૨૩ ]