આપનું શરીર ૧દેદીપ્યમાન છે; તેથી જો યોગીશ્વરોએ સમ્યક્
યોગરૂપ ૨નેત્ર દ્વારા આપને પ્રાપ્ત કરી લીધા તો તેઓએ શું
ન જાણી લીધું ? શું ન દેખી લીધું ? તથા તેઓએ શું ન
પ્રાપ્ત કરી લીધું ? અર્થાત્ સર્વ કરી લીધું.
ભાવાર્થ : — જો યોગીશ્વરોએ પોતાની ઉત્કૃષ્ટ યોગ-
દ્રષ્ટિથી અનંત ગુણસંપન્ન આપને જોઈ લીધા તો તેઓએ
સર્વ દેખી લીધું, સર્વ જાણી લીધું અને સર્વ પ્રાપ્ત કરી લીધું.
પૂર્ણની પ્રાપ્તિનું પ્રયોજન : —
૬. અર્થ : — હે જિનેંદ્ર ! આપને જ હું ત્રણ લોકના
સ્વામી માનું છું, આપને જ જિન અર્થાત્ અષ્ટ કર્મોના
વિજેતા તથા મારા સ્વામી માનું છું, માત્ર આપને જ
ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. સદા આપનું જ ધ્યાન કરું છું,
આપની જ સેવા અને સ્તુતિ કરું છું અને કેવળ આપને જ
મારું શરણ માનું છું. અધિક શું કહેવું ? જો કંઈ સંસારમાં
પ્રાપ્ત થાઓ તો એ થાઓ કે આપના સિવાય અન્ય કોઈ પણ
સાથે મારે પ્રયોજન ન રહે.
ભાવાર્થ : — હે ભગવાન ! આપ સાથે જ મારે
પ્રયોજન રહે અને આપથી ભિન્ન અન્યથી મારે કોઈ પ્રકારનું
પ્રયોજન ન રહે, એટલી વિનયપૂર્વક પ્રાર્થના છે.
૧. શ્રી તીર્થંકર પ્રભુનું શરીર પરમ ઔદારિક અને સ્ફટિક રત્ન
જેવું નિર્મળ હોઈને દેદીપ્યમાન હોય છે. ૨. શ્રદ્ધા – જ્ઞાન.
[ ૪ ]