Alochana (Gujarati).

< Previous Page   Next Page >


Page 6 of 24
PDF/HTML Page 9 of 27

 

background image
એક સાથે જાણો છો તથા દેખો છો, તો હે સ્વામિન્ ! મારા
એક જન્મના પાપોને શું આપ નથી જાણતા ? અર્થાત્
અવશ્યમેવ આપ જાણો છો; તેથી હું આત્મનિંદા કરતો કરતો
આપની પાસે સ્વદોષોનું કથન (આલોચન) કરું છું; અને તે
કેવળ શુદ્ધિ અર્થે જ કરું છું.
ભાવાર્થ :હે ભગવાન ! જો આપ અનંત ભેદસહિત
લોક તથા અલોકને એકસાથે જાણો છો અને દેખો છો તો
આપ મારા સમસ્ત દોષોને પણ સારી રીતે જાણતા જ હો.
વળી હું આપની સામે નિજ દોષોનું કથન (આલોચન) કરું
છું. તે કેવળ આપને સંભળાવવા માટે નહિ, કિંતુ શુદ્ધિ અર્થે
જ કરું છું.
હવે આચાર્યદેવ ભવ્ય જીવોને તેમના
આત્માને ત્રણ શલ્ય રહિત રાખવાનો બોધા આપે
છે :
૯. અર્થ :હે પ્રભો ! વ્યવહાર નયનો આશ્રય
કરનાર અથવા મૂલગુણ તથા ઉત્તરગુણોને ધારણ કરનાર
મારા જેવા મુનિને જે દૂષણોનું સંપૂર્ણ રીતે સ્મરણ છે, તે
દૂષણની શુદ્ધિઅર્થે આલોચના કરવાને આપની સામે
સાવધાનીપૂર્વક બેઠો છું, કેમ કે જ્ઞાનવાન ભવ્ય જીવોએ સદા
પોતાના હૃદય માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્ય
ત્રણ શલ્ય રહિત જ રાખવા જોઈએ.
[ ૬ ]