Benshreena Vachanamrut (Gujarati). Bol: 246-249.

< Previous Page   Next Page >


Page 85 of 186
PDF/HTML Page 102 of 203

 

બહેનશ્રીનાં વચનામૃત
૮૫

નક્કી કરે છે, ત્યાં અનંતી વિભૂતિ અંશે પ્રગટ થઈ જાય છે. ૨૪૫.

ચક્રરત્ન આયુધશાળામાં પ્રગટ થયું હોય પછી ચક્રવર્તી નિરાંતે બેસી ન રહે, છ ખંડ સાધવા જાય; તેમ આ ચૈતન્યચક્રવર્તી જાગ્યો, સમ્યગ્દર્શનરૂપી ચક્રરત્ન પ્રાપ્ત થયું, હવે તો અપ્રમત્ત ભાવે કેવળજ્ઞાન જ લે. ૨૪૬.

આત્મસાક્ષાત્કાર તે જ અપૂર્વ દર્શન છે. અનંત કાળમાં ન થયું હોય એવું, ચૈતન્યતત્ત્વમાં જઈને જે દિવ્ય દર્શન, તે જ અલૌકિક દર્શન છે. સિદ્ધદશા સુધીની સર્વ લબ્ધિ શુદ્ધાત્માનુભૂતિમાં જઈને મળે છે. ૨૪૭.

વિશ્વનું અદ્ભુત તત્ત્વ તું જ છો. તેની અંદરમાં જતાં તારા અનંત ગુણોનો બગીચો ખીલી ઊઠશે. ત્યાં જ જ્ઞાન મળશે, ત્યાં જ આનંદ મળશે; ત્યાં જ વિહાર કર. અનંત કાળનો વિસામો ત્યાં જ છે. ૨૪૮.

તું અંદરમાં ઊંડો ઊંડો ઊતરી જા, તને નિજ