છે તે કોઈને પૂછવા જવું પડતું નથી, તેમ પોતાને સ્વાનુભૂતિ થાય છે તે કોઈને પૂછવું પડતું નથી. ૨૫૪.
અંતરનો અજાણ્યો માર્ગ; અંતરમાં શી ઘટમાળ ચાલે છે, તે આગમ ને ગુરુની વાણીથી જ નક્કી કરી શકાય છે. ભગવાનની સ્યાદ્વાદ-વાણી જ તત્ત્વ પ્રકાશી શકે છે. જિનેન્દ્રવાણી અને ગુરુવાણીનું અવલંબન સાથે રાખજે; તો જ તારી સાધનાનાં પગલાં મંડાશે. ૨૫૫.
સાધકદશાની સાધના એવી કર કે જેથી તારું સાધ્ય પૂરું થાય. સાધકદશા પણ એનો મૂળ સ્વભાવ તો નથી. એ પણ પ્રયત્નરૂપ અપૂર્ણ દશા છે, માટે તે અપૂર્ણ દશા પણ રાખવા જેવી તો નથી જ. ૨૫૬.
શુદ્ધ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ કરીને તથા અશુદ્ધતાને ખ્યાલમાં રાખીને તું પુરુષાર્થ કરજે, તો મોક્ષ પ્રાપ્ત થશે. ૨૫૭.
તું વિચાર કર, તારા માટે દુનિયામાં શી આશ્ચર્યકારી વસ્તુ છે? કોઈ નહિ; — એક આત્મા સિવાય. જગતમાં તેં બધી જાતના પ્રયાસ કર્યા, બધું જોયું, બધું કર્યું, પણ