૧૦૦
થયો તેટલી શાન્તિ અને સ્વરૂપાનંદ છે. ૨૯૫.
દ્રવ્ય તો સૂક્ષ્મ છે, તેને પકડવા સૂક્ષ્મ ઉપયોગ કર. પાતાળકૂવાની જેમ દ્રવ્યમાં ઊંડો ઊતરી જા તો અંદરથી વિભૂતિ પ્રગટે. દ્રવ્ય આશ્ચર્યકારી છે. ૨૯૬.
તારું કાર્ય તો તત્ત્વાનુસારી પરિણમન કરવું તે છે. જડનાં કાર્યો તારાં નથી. ચેતનનાં કાર્યો ચેતન હોય. વૈભાવિક કાર્યો પણ પરમાર્થે તારાં નથી. જીવનમાં એવું જ ઘુંટાઈ જવું જોઈએ કે જડ અને વિભાવ તે પર છે, તે હું નથી. ૨૯૭.
જ્ઞાની જીવ નિઃશંક તો એટલો હોય કે આખું બ્રહ્માંડ ફરે તોપણ પોતે ફરે નહિ; વિભાવના ગમે તેટલા ઉદય આવે તોપણ ચલિત થાય નહિ. બહારના પ્રતિકૂળ સંયોગથી જ્ઞાયકપરિણતિ ન ફરે; શ્રદ્ધામાં ફેર ન પડે. પછી ક્રમે ચારિત્ર વધતું જાય. ૨૯૮.
વસ્તુ સ્વતઃસિદ્ધ છે. તેનો સ્વભાવ તેને અનુકૂળ હોય, પ્રતિકૂળ ન હોય. સ્વતઃસિદ્ધ આત્મવસ્તુનો દર્શન-