Benshreena Vachanamrut (Gujarati). Bol: 319-321.

< Previous Page   Next Page >


Page 107 of 186
PDF/HTML Page 124 of 203

 

બહેનશ્રીનાં વચનામૃત
૧૦૭

પણ તેના નિમિત્તે ઊપજતી સમ્યક્ પ્રતીતિનો તો એક જ પ્રકાર હોય છે. પ્રતીતિ માટેના વિચારોના સર્વ પ્રકારોમાં ‘હું જ્ઞાયક છું’ તે પ્રકાર મૂળભૂત છે. ૩૧૮.

વિભાવથી જુદો પડીને ચૈતન્યતત્ત્વને ગ્રહણ કર. એ જ કરવાનું છે. પર્યાય સામું જોઈને પર્યાયમાં કાંઈ કરવાનું નથી. દ્રવ્યદ્રષ્ટિ કરતાં પર્યાયમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર આવી જ જશે. કૂવો ખોદ તો પાણી આવશે જ, લેવા જવું નહિ પડે. ચૈતન્યપાતાળ ફૂટતાં શુદ્ધ પર્યાયનો પ્રવાહ એની મેળે જ ચાલુ થશે. ૩૧૯.

ચૈતન્યની ધરતી તો અનંત ગુણરૂપી બીજથી ભરેલી, રસાળ છે. આ રસાળ ધરતીને જ્ઞાન-ધ્યાનરૂપ પાણીનું સિંચન કરવાથી તે ફાલી નીકળશે. ૩૨૦.

પર્યાય પર દ્રષ્ટિ રાખ્યે ચૈતન્ય પ્રગટ ન થાય, દ્રવ્યદ્રષ્ટિ કરવાથી જ ચૈતન્ય પ્રગટે. દ્રવ્યમાં અનંત સામર્થ્ય ભર્યું છે, તે દ્રવ્ય પર દ્રષ્ટિ થંભાવ. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની કોઈ પણ પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો વિષય નથી. સાધકદશા પણ શુદ્ધ દ્રષ્ટિના વિષયભૂત મૂળ