Benshreena Vachanamrut (Gujarati). Bol: 343.

< Previous Page   Next Page >


Page 115 of 186
PDF/HTML Page 132 of 203

 

બહેનશ્રીનાં વચનામૃત
૧૧૫

બહારમાં દેવ-શાસ્ત્ર-ગુરુ સાથે; બસ, અન્ય સાથે તારે શું પ્રયોજન છે?

જે વ્યવહારે સાધનરૂપ કહેવાય છે, જેમનું આલંબન સાધકને આવ્યા વિના રહેતું નથીએવાં દેવ-શાસ્ત્ર-ગુરુના આલંબનરૂપ શુભ ભાવ તે પણ પરમાર્થે હેય છે, તો પછી અન્ય પદાર્થો કે અશુભ ભાવોની તો વાત જ શી? તેમનાથી તારે શું પ્રયોજન છે?

આત્માની મુખ્યતાપૂર્વક દેવ-શાસ્ત્ર-ગુરુનું આલંબન સાધકને આવે છે. મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવે પણ કહ્યું છે કે ‘હે જિનેંદ્ર! હું ગમે તે સ્થળે હોઉં પણ ફરીફરીને આપનાં પાદપંકજની ભક્તિ હો’!આવા ભાવ સાધકદશામાં આવે છે, અને સાથે સાથે આત્માની મુખ્યતા તો સતત રહ્યા જ કરે છે. ૩૪૨.

અનંત જીવો પુરુષાર્થ કરી, સ્વભાવે પરિણમી, વિભાવ ટાળી, સિદ્ધ થયા; માટે જો તારે સિદ્ધમંડળીમાં ભળવું હોય તો તું પણ પુરુષાર્થ કર.

કોઈ પણ જીવને પુરુષાર્થ કર્યા વિના તો ભવાન્ત થવાનો જ નથી. ત્યાં કોઈ જીવ તો, જેમ ઘોડો છલંગ મારે તેમ, ઉગ્ર પુરુષાર્થ કરી ત્વરાથી વસ્તુને પહોંચી