Benshreena Vachanamrut (Gujarati). Bol: 344.

< Previous Page   Next Page >


Page 116 of 186
PDF/HTML Page 133 of 203

 

૧૧૬

બહેનશ્રીનાં વચનામૃત

જાય છે, તો કોઈ જીવ ધીમે ધીમે પહોંચે છે.

વસ્તુને પામવું, તેમાં ટકવું અને આગળ વધવુંબધું પુરુષાર્થથી જ થાય છે. પુરુષાર્થ બહાર જાય છે તેને અંદર લાવ. આત્માના જે સહજ સ્વભાવો છે તે પુરુષાર્થ દ્વારા સ્વયં પ્રગટ થશે. ૩૪૩.

જ્યાંસુધી સામાન્ય તત્ત્વધ્રુવ તત્ત્વખ્યાલમાં ન આવે, ત્યાંસુધી અંદર માર્ગ ક્યાંથી સૂઝે અને ક્યાંથી પ્રગટે? માટે સામાન્ય તત્ત્વને ખ્યાલમાં લઈ તેનો આશ્રય કરવો. સાધકને આશ્રય તો પ્રારંભથી પૂર્ણતા સુધી એક જ્ઞાયકનો જદ્રવ્યસામાન્યનો જધ્રુવ તત્ત્વનો જ હોય છે. જ્ઞાયકનુંધ્રુવનું જોર એક ક્ષણ પણ ખસતું નથી. દ્રષ્ટિ જ્ઞાયક સિવાય કોઈને સ્વીકારતી નથીધ્રુવ સિવાય કોઈને ગણકારતી નથી; અશુદ્ધ પર્યાયને નહિ, શુદ્ધ પર્યાયને નહિ, ગુણભેદને નહિ. જોકે સાથે વર્તતું જ્ઞાન બધાંનો વિવેક કરે છે, તોપણ દ્રષ્ટિનો વિષય તો સદા એક ધ્રુવ જ્ઞાયક જ છે, તે કદી છૂટતો નથી.

પૂજ્ય ગુરુદેવનો આ પ્રમાણે જ ઉપદેશ છે, શાસ્ત્રો પણ આમ જ કહે છે, વસ્તુસ્થિતિ પણ આમ જ છે. ૩૪૪.