Benshreena Vachanamrut (Gujarati). Bol: 350.

< Previous Page   Next Page >


Page 119 of 186
PDF/HTML Page 136 of 203

 

બહેનશ્રીનાં વચનામૃત
૧૧૯

રહેતા, લોકો જેમને ભગવાન કહીને આદરતાએવા ઉત્કૃષ્ટ પુણ્યના ધણી બધી બાહ્ય ૠદ્ધિને છોડી, ઉપસર્ગ- પરિષહોની દરકાર કર્યા વિના, આત્માનું ધ્યાન કરવા વનમાં ચાલી નીકળ્યા, તો તેમને આત્મા સર્વથી મહિમાવંત, સર્વથી વિશેષ આશ્ચર્યકારી લાગ્યો હશે અને બહારનું બધું તુચ્છ લાગ્યું હશે ત્યારે જ ચાલી નીકળ્યા હશે ને? માટે, હે જીવ! તું આવા આશ્ચર્યકારી આત્માનો મહિમા લાવી, તારા પોતાથી તેની ઓળખાણ કરી, તેની પ્રાપ્તિનો પુરુષાર્થ કર. તું સ્થિરતા-અપેક્ષાએ બધું બહારનું ન છોડી શકે તો શ્રદ્ધા-અપેક્ષાએ તો છોડ! છોડવાથી તારું કાંઈ ચાલ્યું નહિ જાય, ઊલટાનો પરમ પદાર્થઆત્માપ્રાપ્ત થશે. ૩૪૯.

જીવોને જ્ઞાન ને ક્રિયાના સ્વરૂપની ખબર નથી અને ‘પોતે જ્ઞાન તેમ જ ક્રિયા બંને કરે છે’ એમ ભ્રમણા સેવે છે. બાહ્ય જ્ઞાનને, ભંગભેદનાં પલાખાંને, ધારણા- જ્ઞાનને તેઓ ‘જ્ઞાન’ માને છે અને પરદ્રવ્યનાં ગ્રહણ- ત્યાગને, શરીરાદિની ક્રિયાને, અથવા બહુ તો શુભભાવને, તેઓ ‘ક્રિયા’ કલ્પે છે. ‘મને આટલું આવડે છે, હું આવી આકરી ક્રિયાઓ કરું છું’ એમ તેઓ ખોટી હૂંફમાં રહે છે.