ઉગ્ર પુરુષાર્થ વારંવાર કરે, જ્ઞાયકનો જ અભ્યાસ, જ્ઞાયકનું જ મંથન, તેનું જ ચિંતવન કરે, તો પ્રગટ થાય.
પૂજ્ય ગુરુદેવે માર્ગ બતાવ્યો છે; ચારે પડખેથી સ્પષ્ટ કર્યું છે. ૪૨૭.
પ્રશ્નઃ — આત્માની વિભૂતિને ઉપમા આપી સમજાવો.
ઉત્તરઃ — ચૈતન્યતત્ત્વમાં વિભૂતિ ભરી છે. કોઈ ઉપમા તેને લાગુ પડતી નથી. ચૈતન્યમાં જે વિભૂતિ ભરી છે તે અનુભવમાં આવે છે; ઉપમા શી અપાય? ૪૨૮.
પ્રશ્નઃ — પ્રથમ આત્માનુભવ થતાં પહેલાં, છેલ્લો વિકલ્પ કેવો હોય?
ઉત્તરઃ — છેલ્લા વિકલ્પનો કોઈ નિયમ નથી. ભેદ- જ્ઞાનપૂર્વક શુદ્ધાત્મતત્ત્વની સન્મુખતાનો અભ્યાસ કરતાં કરતાં ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થાય છે. જ્યાં જ્ઞાયક તરફ પરિણતિ ઢળી રહી હોય છે, ત્યાં ક્યો વિકલ્પ છેલ્લો હોય (અર્થાત્ છેલ્લે અમુક જ વિકલ્પ હોય) એવો ‘વિકલ્પ’સંબંધી કોઈ નિયમ નથી. જ્ઞાયકધારાની ઉગ્રતા- તીક્ષ્ણતા થાય ત્યાં ‘વિકલ્પ ક્યો?’ તેનો સંબંધ નથી.