૧૭૨
ભેદજ્ઞાનની ઉગ્રતા, તેની લગની, તેની જ તીવ્રતા હોય; શબ્દથી વર્ણન ન થઈ શકે. અભ્યાસ કરે, ઊંડાણમાં જાય, તેના તળમાં જઈને ઓળખે, તળમાં જઈને ઠરે, તો પ્રાપ્ત થાય — જ્ઞાયક પ્રગટ થાય. ૪૨૯.
પ્રશ્નઃ — નિર્વિકલ્પ દશા થતાં વેદન શાનું હોય? દ્રવ્યનું કે પર્યાયનું?
ઉત્તરઃ — દ્રષ્ટિ તો ધ્રુવસ્વભાવની જ હોય છે; વેદાય છે આનંદાદિ પર્યાય.
સ્વભાવે દ્રવ્ય તો અનાદિ-અનંત છે જે ફરતું નથી, બદલતું નથી. તેના ઉપર દ્રષ્ટિ કરવાથી, તેનું ધ્યાન કરવાથી, પોતાની વિભૂતિનો પ્રગટ અનુભવ થાય છે. ૪૩૦.
પ્રશ્નઃ — નિર્વિકલ્પ અનુભૂતિ વખતે આનંદ કેવો થાય?
ઉત્તરઃ — તે આનંદનો, કોઈ જગતના — વિભાવના — આનંદ સાથે, બહારની કોઈ વસ્તુ સાથે, મેળ નથી. જેને અનુભવમાં આવે છે તે જાણે છે. તેને કોઈ ઉપમા લાગુ પડતી નથી. એવો અચિંત્ય