અદભુત તેનો મહિમા છે. ૪૩૧.
પ્રશ્નઃ — આજે વીરનિર્વાણદિનપ્રસંગે કૃપા કરી બે શબ્દ કહો.
ઉત્તરઃ — શ્રી મહાવીર તીર્થાધિનાથ આત્માના પૂર્ણ અલૌકિક આનંદમાં અને કેવળજ્ઞાનમાં પરિણમતા હતા. આજે તેમણે સિદ્ધદશા પ્રાપ્ત કરી. ચૈતન્યશરીરી ભગવાન આજે પૂર્ણ અકંપ થઈને અયોગીપદને પામ્યા, ચૈતન્ય- ગોળો છૂટો પડી ગયો, પોતે પૂર્ણ ચિદ્રૂપ થઈ ચૈતન્યબિંબરૂપે સિદ્ધાલયમાં બિરાજી ગયા; હવે સદાય સમાધિસુખાદિ અનંત ગુણોમાં પરિણમ્યા કરશે. આજે ભરતક્ષેત્રમાંથી ત્રિલોકીનાથ ચાલ્યા ગયા, તીર્થંકર- ભગવાનનો વિયોગ થયો, વીરપ્રભુના આજે વિરહ પડ્યા. ઇન્દ્રોએ ઉપરથી ઊતરીને આજ નિર્વાણ- મહોત્સવ ઊજવ્યો. દેવોએ ઊજવેલો તે નિર્વાણકલ્યાણક- મહોત્સવ કેવો દિવ્ય હશે! તેને અનુસરીને હજુ પણ લોકો દર વર્ષે દિવાળીદિને દીપમાળા પ્રગટાવીને દીપોત્સવીમહોત્સવ ઊજવે છે.
આજે વીરપ્રભુ મોક્ષ પધાર્યા. ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તરત જ અંતરમાં ઊંડા ઊતરી ગયા અને વીતરાગદશા પ્રાપ્ત કરી કેવળજ્ઞાનને પામ્યા. આત્માના