થાય જ. અંદર વેદના સહિત ભાવના હોય તો માર્ગ શોધે. ૪૧.
યથાર્થ રુચિ સહિતના શુભ ભાવો વૈરાગ્ય અને ઉપશમરસથી તરબોળ હોય છે; અને યથાર્થ રુચિ વિના, તેના તે શુભ ભાવો લૂખા અને ચંચળતાવાળા હોય છે. ૪૨.
જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય તેને પૂછીએ કે ‘તારું નામ શું?’ તો કહે ‘મારી બા’, તારું ગામ કયું?’ તો કહે ‘મારી બા’, ‘તારાં માતા-પિતા કોણ?’ તો કહે ‘મારી બા’; તેમ જેને આત્માની ખરી રુચિથી જ્ઞાયકસ્વભાવ પ્રાપ્ત કરવો છે તેને દરેક પ્રસંગે ‘જ્ઞાયકસ્વભાવ...જ્ઞાયકસ્વભાવ’ — એવું રટણ રહ્યા જ કરે, તેની જ નિરંતર રુચિ ને ભાવના રહે. ૪૩.
રુચિમાં ખરેખર પોતાને જરૂરિયાત લાગે તો વસ્તુની પ્રાપ્તિ થયા વિના રહે જ નહિ. તેને ચોવીશે કલાક એક જ ચિંતન, ઘોલન, ખટક ચાલુ રહે. જેમ કોઈને ‘બા’નો પ્રેમ હોય તો તેને બાની યાદ, તેની ખટક નિરંતર રહ્યા