૨૮
જ લીલા, સ્વરૂપમાં જ વિચરણ કરે છે. સંપૂર્ણ શ્રામણ્ય પ્રગટાવી તેઓ લીલામાત્રમાં શ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રગટાવે છે. ૭૮.
શુદ્ધસ્વરૂપ આત્મામાં જાણે વિકાર અંદર પેસી (પ્રવેશી) કેમ ગયા હોય તેવું દેખાય છે, પણ ભેદજ્ઞાન પ્રગટ કરતાં તેઓ જ્ઞાનરૂપી ચૈતન્ય-અરીસામાં પ્રતિબિંબરૂપ છે. જ્ઞાન-વૈરાગ્યની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કર. યથાર્થ દ્રષ્ટિ (દ્રવ્ય ઉપર દ્રષ્ટિ) કરી ઉપર આવી જા. ચૈતન્યદ્રવ્ય નિર્મળ છે. અનેક જાતનાં કર્મનાં ઉદય, સત્તા, અનુભાગ તથા કર્મનિમિત્તક વિકલ્પ વગેરે તારાથી અત્યંત જુદાં છે. ૭૯.
વિધિ અને નિષેધની વિકલ્પજાળને છોડ. હું બંધાયેલો છું, હું બંધાયેલ નથી — તે બધું છોડી અંદર જા, અંદર જા; નિર્વિકલ્પ થા, નિર્વિકલ્પ થા. ૮૦.
જેમ સ્વભાવે નિર્મળ એવા સ્ફટિકમાં લાલ-કાળા ફૂલના સંયોગે રંગ દેખાય તોપણ ખરેખર સ્ફટિક રંગાઈ ગયો નથી, તેમ સ્વભાવે નિર્મળ એવા આત્મામાં ક્રોધ –