ચૈતન્યમાં સંપૂર્ણપણે જો અત્યારે જ ઠરી જવાતું હોય તો બીજું કાંઈ જોઈતું નથી એવી સમ્યગ્દ્રષ્ટિની ભાવના હોય છે. ૧૦૩.
‘હું શુદ્ધ છું’ એમ સ્વીકારતાં પર્યાયની રચના શુદ્ધ જ થાય છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. ૧૦૪.
આત્માએ તો ત્રિકાળ એક જ્ઞાયકપણાનો જ વેષ પરમાર્થે ધારણ કરેલો છે. જ્ઞાયક તત્ત્વને પરમાર્થે કોઈ પર્યાયવેષ નથી, કોઈ પર્યાય-અપેક્ષા નથી. આત્મા ‘મુનિ છે’ કે ‘કેવળજ્ઞાની છે’ કે ‘સિદ્ધ છે’ એવી એક પણ પર્યાય-અપેક્ષા ખરેખર જ્ઞાયક પદાર્થને નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે. ૧૦૫.
ચૈતન્યસ્વરૂપ આત્મા તારો પોતાનો છે માટે તેને પ્રાપ્ત કરવો સુગમ છે. પરપદાર્થ પરનો છે, પોતાનો થતો નથી, પોતાનો કરવામાં માત્ર આકુળતા થાય છે. ૧૦૬.
શાશ્વત શુદ્ધિધામ એવું જે બળવાન આત્મદ્રવ્ય તેની દ્રષ્ટિ પ્રગટ થઈ તો શુદ્ધ પર્યાય પ્રગટે જ. વિકલ્પના