૪૨
બહેનશ્રીનાં વચનામૃત
જો પ્રતીતમાં ફેર પડ્યો તો સંસાર ઊભો છે. ૧૩૧.
✽
જેમ લીંડીપીપરનું લઢણ કરવાથી તીખાશ પ્રગટ થાય છે, તેમ જ્ઞાયકસ્વભાવનું લઢણ કરવાથી અનંત ગુણો પ્રગટે છે. ૧૩૨.
✽
જ્ઞાની ચૈતન્યની શોભા નિહાળવા માટે કુતૂહલ- બુદ્ધિવાળા — આતુર હોય છે. અહો! તે પરમ પુરુષાર્થી મહાજ્ઞાનીઓની દશા કેવી હશે કે અંદર ગયા તે બહાર આવતા જ નથી! ધન્ય તે દિવસ કે જ્યારે બહાર આવવું જ ન પડે. ૧૩૩.
✽
મુનિએ બધા વિભાવો પર વિજય મેળવી પ્રવ્રજ્યારૂપ સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું છે. વિજયધ્વજ ફરકી રહ્યો છે. ૧૩૪.
✽
એક એક દોષને ગોતી ગોતીને ટાળવા નથી પડતા. અંદર નજર ઠેરવે તો ગુણરત્નાકર પ્રગટે અને બધા દોષનો ભૂકો બોલી જાય. આત્મા તો અનાદિ – અનંત ગુણોનો પિંડ છે. ૧૩૫.
✽