સમકિત પહેલાં પણ વિચાર દ્વારા નિર્ણય થઈ શકે છે, ‘આ આત્મા’ એમ પાકો નિર્ણય થાય છે. ભલે હજુ અનુભૂતિ ન થઈ હોય તોપણ પહેલાં વિકલ્પ સહિતનો નિર્ણય હોય છે ખરો. ૧૩૬.
ચૈતન્યપરિણતિ તે જ જીવન છે. બહારનું તો અનંત વાર મળ્યું, અપૂર્વ નથી, પણ અંદરનો પુરુષાર્થ તે જ અપૂર્વ છે. બહાર જે સર્વસ્વ મનાઈ ગયું છે તે પલટીને સ્વમાં સર્વસ્વ માનવાનું છે. ૧૩૭.
રુચિ રાખવી. રુચિ જ કામ કરે છે. પૂજ્ય ગુરુદેવે ઘણું દીધું છે. તેઓશ્રી અનેક રીતે સમજાવે છે. પૂજ્ય ગુરુદેવનાં વચનામૃતોના વિચારનો પ્રયોગ કરવો. રુચિ વધારતા જવી. ભેદજ્ઞાન માટે તીખી રુચિ જ કામ કરે છે. ‘જ્ઞાયક’, ‘જ્ઞાયક’, ‘જ્ઞાયક’ — એની જ રુચિ હોય તો પુરુષાર્થનું વલણ થયા વિના રહે નહિ. ૧૩૮.
ઊંડાણમાંથી લગની લગાડીને પુરુષાર્થ કરે તો વસ્તુ મળ્યા વિના રહે નહિ. અનાદિ કાળથી લગની લાગી જ