Benshreena Vachanamrut (Gujarati). Bol: 168-171.

< Previous Page   Next Page >


Page 52 of 186
PDF/HTML Page 69 of 203

 

૫૨

બહેનશ્રીનાં વચનામૃત

થાય અને કેવળજ્ઞાન પ્રગટી પરિપૂર્ણ મુક્તિપર્યાય પ્રાપ્ત થાય. ૧૬૭.

સમ્યગ્દર્શન થતાં જ જીવ ચૈતન્યમહેલનો માલિક થઈ ગયો. તીવ્ર પુરુષાર્થીને મહેલમાંનો અસ્થિરતારૂપ કચરો કાઢતાં ઓછો વખત લાગે, મંદ પુરુષાર્થીને વધારે વખત લાગે; પરંતુ બંને વહેલામોડા બધો કચરો કાઢી કેવળજ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરશે જ. ૧૬૮.

વિભાવોમાં અને પાંચ પરાવર્તનોમાં ક્યાંય વિશ્રાંતિ નથી. ચૈતન્યગૃહ જ ખરું વિશ્રાંતિગૃહ છે. મુનિવર તેમાં વારંવાર નિર્વિકલ્પપણે પ્રવેશી વિશેષ વિશ્રામ પામે છે. બહાર આવ્યાન આવ્યા ને અંદર જાય છે. ૧૬૯.

એક ચૈતન્યને જ ગ્રહણ કર. બધાય વિભાવોથી પરિમુક્ત, અત્યંત નિર્મળ નિજ પરમાત્મતત્ત્વને જ ગ્રહણ કર, તેમાં જ લીન થા, એક પરમાણુમાત્રની પણ આસક્તિ છોડી દે. ૧૭૦.

એક મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી.