૬૦
કર, પછી ભલે બધું જ્ઞાન થાય. એમ કરતાં કરતાં અંદર વિશેષ લીનતા થાય, સાધક દશા વધતી જાય. દેશવ્રત અને મહાવ્રત સામાન્ય સ્વરૂપના આલંબને આવે છે; મુખ્યતા નિરંતર સામાન્ય સ્વરૂપની — દ્રવ્યની હોય છે. ૧૯૧.
આત્મા તો નિવૃત્તસ્વરૂપ — શાન્તસ્વરૂપ છે. મુનિરાજને તેમાંથી બહાર આવવું પ્રવૃત્તિરૂપ લાગે છે. ઊંચામાં ઊંચા શુભભાવ પણ તેમને બોજારૂપ લાગે છે, જાણે કે પર્વત ઉપાડવાનો હોય. શાશ્વત આત્માની જ ઉગ્ર ધૂન લાગી છે. આત્માના પ્રચુર સ્વસંવેદનમાંથી બહાર આવવું ગમતું નથી. ૧૯૨.
સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્ઞાયકને જ્ઞાયક વડે જ પોતામાં ધારી રાખે છે, ટકાવી રાખે છે, સ્થિર રાખે છે — એવી સહજ દશા હોય છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવને તેમ જ મુનિને ભેદજ્ઞાનની પરિણતિ તો ચાલુ જ હોય છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને તેની દશાના પ્રમાણમાં ઉપયોગ અંતરમાં જાય છે તેમ જ બહાર આવે છે; મુનિરાજને તો ઉપયોગ બહુ ઝડપથી વારંવાર અંદર ઊતરી જાય છે. ભેદજ્ઞાનની પરિણતિ —