જ્ઞાતાધારા — બંનેને ચાલુ જ હોય છે. તેમને ભેદજ્ઞાન પ્રગટ થયું ત્યારથી પુરુષાર્થ વિનાનો કોઈ કાળ હોતો નથી. અવિરત સમ્યગ્દ્રષ્ટિને ચોથા ગુણસ્થાન પ્રમાણે અને મુનિને છઠ્ઠા-સાતમા ગુણસ્થાન અનુસાર પુરુષાર્થ વર્ત્યા કરે છે. પુરુષાર્થ વિના કાંઈ પરિણતિ ટકતી નથી. સહજ પણ છે, પુરુષાર્થ પણ છે. ૧૯૩.
પૂજ્ય ગુરુદેવે મોક્ષનો શાશ્વત માર્ગ અંદરમાં દેખાડ્યો છે, તે માર્ગે જા. ૧૯૪.
બધાએ એક જ કરવાનું છેઃ — દરેક ક્ષણે આત્માને જ ઊર્ધ્વ રાખવો, આત્માની જ પ્રમુખતા રાખવી. જિજ્ઞાસુની ભૂમિકામાં પણ આત્માને જ અધિક રાખવાનો અભ્યાસ કરવો. ૧૯૫.
સ્વરૂપ તો સહજ જ છે, સુગમ જ છે; અનભ્યાસે દુર્ગમ લાગે છે. કોઈ બીજાના સંગે ચડી ગયો હોય તો તેને તે સંગ છોડવો દુષ્કર લાગે છે; ખરેખર દુષ્કર નથી, ટેવને લીધે દુષ્કર કલ્પાય છે. પરસંગ છોડી પોતે સ્વતંત્રપણે છૂટા રહેવું તેમાં દુષ્કરતા શી? તેમ પોતાનો સ્વભાવ પામવો તેમાં