Benshreena Vachanamrut (Gujarati). Bol: 201.

< Previous Page   Next Page >


Page 66 of 186
PDF/HTML Page 83 of 203

 

૬૬

બહેનશ્રીનાં વચનામૃત

ચારિત્ર ને કેવળજ્ઞાનબધું પ્રગટ થશે.

નમૂનામાં પૂરા માલનો ખ્યાલ આવે. ચંદ્રની બીજની કળામાં આખો ચંદ્રમા ખ્યાલમાં આવે. ગોળની એક કણીમાં આખા રવાનો ખ્યાલ આવે. ત્યાં (દ્રષ્ટાંતમાં) તો જુદાં જુદાં દ્રવ્ય ને આ તો એક જ દ્રવ્ય. માટે સમકિતમાં ચૌદ બ્રહ્માંડના ભાવો આવી ગયા. એ જ માર્ગે કેવળ. જેમ અંશ પ્રગટ્યો તેમ જ પૂર્ણતા પ્રગટશે. માટે શુદ્ધનયની અનુભૂતિ એટલે કે શુદ્ધ આત્માની અનુભૂતિ તે સંપૂર્ણ જિનશાસનની અનુભૂતિ છે. ૨૦૦.

અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે ત્યાં અપરિણામી એટલે આખો જ્ઞાયક; શાસ્ત્રમાં નિશ્ચયનયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કહ્યો છે તે જ આ ‘અપરિણામી’ નિજાત્મા.

પ્રમાણ-અપેક્ષાએ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, અપરિણામી તેમ જ પરિણામી છે. પણ અપરિણામી તત્ત્વ પર દ્રષ્ટિ દેતાં પરિણામ ગૌણ થઈ જાય છે; પરિણામ ક્યાંય ચાલ્યા જતા નથી. પરિણામ ક્યાં જતા રહે? પરિણમન તો પર્યાયસ્વભાવને લીધે થયા જ કરે છે, સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છે.