Benshreena Vachanamrut (Gujarati). Bol: 209-210.

< Previous Page   Next Page >


Page 71 of 186
PDF/HTML Page 88 of 203

 

બહેનશ્રીનાં વચનામૃત
૭૧

એમ કરતાં...કરતાં...કરતાં (સ્વરૂપમાં લીનતા જામતાં... જામતાં) ક્ષપકશ્રેણી પ્રગટીને પૂર્ણ થઈ જાય છે. જે વસ્તુ છે તે ઉપર જ તારી દ્રષ્ટિનો દોર બાંધ, પર્યાયના આલંબને કાંઈ ન થાય. ૨૦૮.

જેમ રાજા પોતાના મહેલમાં ઊંડો ઊંડો રહે છે તેમ ચૈતન્યરાજા ઊંડા ઊંડા ચૈતન્યના મહેલમાં જ વસે છે; ત્યાં જા. ૨૦૯.

તું પોતે માર્ગ જાણતો નથી ને જાણેલાને સાથે રાખે નહિ, તો તું એક ડગલું પણ કઈ રીતે ભરીશ? તું પોતે આંધળો, અને જો ગુરુવાણીનું અને શ્રુતનું અવલંબન ન રાખ, તો સાધકનો માર્ગ જે અંદરમાં છે તે તને કેમ સૂઝશે? સમકિત કેમ થશે? સાધકપણું કેમ આવશે? કેવળ કેમ પ્રગટશે?

અનંત કાળનો અજાણ્યો માર્ગ ગુરુવાણી અને આગમ વગર જણાતો નથી. સાચો નિર્ણય તો પોતે જ કરવાનો છે પણ તે ગુરુવાણી અને આગમના અવલંબને થાય છે. સાચા નિર્ણય વગરસાચા જ્ઞાન વગરસાચું ધ્યાન થઈ શકતું નથી. માટે તું શ્રુતના