૭૨
અવલંબનને, શ્રુતના ચિંતવનને સાથે જ રાખજે.
શ્રવણયોગ હોય તો તત્કાળબોધક ગુરુવાણીમાં અને સ્વાધ્યાયયોગ હોય તો નિત્યબોધક એવાં આગમમાં પ્રવર્તન રાખજે. તે સિવાયના કાળમાં પણ ગુરુવાણી ને આગમે બતાવેલા ભગવાન આત્માના વિચાર ને મંથન રાખજે. ૨૧૦.
વસ્તુનું સ્વરૂપ બધાં પડખેથી જ્ઞાનમાં જાણી અભેદજ્ઞાન પ્રગટ કર. અંદરમાં સમાયા તે સમાયા; અનંત અનંત કાળ સુધી અનંત અનંત સમાધિસુખમાં લીન થયા. ‘બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહિ પામી શકે’. માટે તું તે જ્ઞાનપદને પ્રાપ્ત કર. તે અપૂર્વ પદની ખબર વગર કલ્પિત ધ્યાન કરે, પણ ચૈતન્ય- દેવનું સ્વરૂપ શું છે, આવા રતનરાશિ જેવા તેના અનંત ગુણોનો સ્વામી કેવો છે — તે જાણ્યા વગર ધ્યાન કેવું? જેનું ધ્યાન કરવું છે તે વસ્તુને ઓળખ્યા વિના, તે ગ્રહણ કર્યા વિના, ધ્યાન કોના આશ્રયે થશે? એકાગ્રતા ક્યાં જામશે? ૨૧૧.
એક સત્-લક્ષણ આત્મા — એનો જ પરિચય રાખજે. ‘જેવો જેને પરિચય એવી જ એની પરિણતિ’. તું