૭૪
— તું એકલો જ મોક્ષ જનાર છો, માટે તું આત્મ- દર્શન પ્રગટ કર.
ગુરુની વાણી સાંભળી વિચાર કર, પ્રતીતિ કર ને ઠર; તો તને અનંત જ્ઞાન ને સુખનું ધામ એવા નિજ આત્માનાં દર્શન થશે. ૨૧૪.
મુમુક્ષુ જીવ શુભમાં જોડાય, પણ પોતાની શોધકવૃત્તિ વહી ન જાય — પોતાના સત્સ્વરૂપની શોધ ચાલુ રહે એવી રીતે જોડાય. શુદ્ધતાનું ધ્યેય છોડીને શુભનો આગ્રહ ન રાખે.
વળી તે ‘હું શુદ્ધ છું, હું શુદ્ધ છું’ કરીને પર્યાયની અશુદ્ધતા ભુલાઈ જાય — સ્વચ્છંદ થઈ જાય એમ ન કરે; શુષ્કજ્ઞાની ન થઈ જાય, હૃદયને ભિંજાયેલું રાખે. ૨૧૫.
સંસારથી ખરેખરા થાકેલાને જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં આવ્યા પછી તે સંસારથી એટલો બધો થાકી જાય છે કે ‘મારે કાંઈ જોઈતું જ નથી, એક નિજ આત્મદ્રવ્ય જ જોઈએ છે’ એમ દ્રઢતા કરી બસ ‘દ્રવ્ય તે જ હું’ એવા ભાવે