Benshreena Vachanamrut (Gujarati). Bol: 215-216.

< Previous Page   Next Page >


Page 74 of 186
PDF/HTML Page 91 of 203

 

૭૪

બહેનશ્રીનાં વચનામૃત

તું એકલો જ મોક્ષ જનાર છો, માટે તું આત્મ- દર્શન પ્રગટ કર.

ગુરુની વાણી સાંભળી વિચાર કર, પ્રતીતિ કર ને ઠર; તો તને અનંત જ્ઞાન ને સુખનું ધામ એવા નિજ આત્માનાં દર્શન થશે. ૨૧૪.

મુમુક્ષુ જીવ શુભમાં જોડાય, પણ પોતાની શોધકવૃત્તિ વહી ન જાયપોતાના સત્સ્વરૂપની શોધ ચાલુ રહે એવી રીતે જોડાય. શુદ્ધતાનું ધ્યેય છોડીને શુભનો આગ્રહ ન રાખે.

વળી તે ‘હું શુદ્ધ છું, હું શુદ્ધ છું’ કરીને પર્યાયની અશુદ્ધતા ભુલાઈ જાયસ્વચ્છંદ થઈ જાય એમ ન કરે; શુષ્કજ્ઞાની ન થઈ જાય, હૃદયને ભિંજાયેલું રાખે. ૨૧૫.

સંસારથી ખરેખરા થાકેલાને જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં આવ્યા પછી તે સંસારથી એટલો બધો થાકી જાય છે કે ‘મારે કાંઈ જોઈતું જ નથી, એક નિજ આત્મદ્રવ્ય જ જોઈએ છે એમ દ્રઢતા કરી બસ ‘દ્રવ્ય તે જ હું’ એવા ભાવે