પરિણમી જાય છે, બાકી બધું કાઢી નાખે છે.
દ્રષ્ટિ એકેય ભેદને સ્વીકારતી નથી. શાશ્વત દ્રવ્ય ઉપર ટકેલી દ્રષ્ટિ ‘મને સમ્યગ્દર્શન કે કેવળજ્ઞાન થયું કે નહિ’ એમ જોવા નથી બેસતી. એને — દ્રવ્યદ્રષ્ટિવાળા જીવને — ખબર છે કે અનંત કાળમાં અનંત જીવોએ આવી રીતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપીને અનંતી વિભૂતિ પ્રગટ કરી છે. દ્રવ્યદ્રષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે જે હોય તે પ્રગટ થાય જ; છતાં ‘મને સમ્યગ્દર્શન થયું, મને અનુભૂતિ થઈ’ એમ દ્રષ્ટિ પર્યાયમાં ચોંટી નથી જતી. તે તો પ્રારંભથી પૂર્ણતા સુધી, બધાંને કાઢી નાખી, દ્રવ્ય ઉપર જ સ્થપાયેલી રહે છે. કોઈ પણ જાતની આશા વગર તદ્દન નિસ્પૃહ ભાવે જ દ્રષ્ટિ પ્રગટ થાય છે. ૨૧૬.
દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય બધું હોવા છતાં કાંઈ દ્રવ્ય ને પર્યાય બંને સમાન કોટિનાં નથી; દ્રવ્યની કોટિ ઊંચી જ છે, પર્યાયની કોટિ નાની જ છે. દ્રવ્યદ્રષ્ટિવાળાને અંદરમાં એટલા બધા રસકસવાળું તત્ત્વ દેખાય છે કે તેની દ્રષ્ટિ પર્યાયમાં ચોંટતી નથી. ભલે અનુભૂતિ થાય, પણ દ્રષ્ટિ અનુભૂતિમાં — પર્યાયમાં — ચોંટી નથી જતી. ‘અહો! આવો આશ્ચર્યકારી દ્રવ્યસ્વભાવ પ્રગટ્યો એટલે